May 6th 2015

કલમની ઉજ્વળકેડી

.                .vijay

 

 

 

.

 

 

.                   કલમની ઉજ્વળકેડી

તાઃ૨/૫/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલમનીકેડી પકડી ચાલતાં,મનને શાંતિ મળી જાય
પાવન રાહ  જીવનમાં પકડી,એ હ્યુસ્ટન આવી જાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
માગણીમોહને દુર રાખીને,પ્રેમ સૌને એ આપી જાય
નાઅભિલાષા નામાયા સ્પર્શતા,સન્માનને પામી જાય
માસરસ્વતીની અસીમકૃપા,એ તેમની રચનાએ દેખાય
મળે સાચીરાહ વાંચકને,એકલમની ઉજ્વળકેડી કહેવાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય.
સાહિત્યની એક સાચીકેડી,એતેમની નિર્મળતા કહેવાય
મળે માનસન્માન તેમને,જેથી પ્રદીપને આનંદ થાય
કૃપા મળે માતાની તેમને,જે અખંડઆનંદ આપીજાય
કલમપ્રેમીઓનુ ગૌરવછે,જે તેમની સિધ્ધીએમળીજાય
….એવા ઉજ્વળ જીવનધારી,વિજયભાઈ કલમપ્રેમી કહેવાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ .                .હ્યુસ્ટનમાં વસતા ગુજરાતીઓ માટે શ્રી વિજયભાઈ શાહ કે જે કલમની
ઉજ્વળરાહ  પકડી માતા સરસ્વતીની અસીમકૃપા મેળવી અહીના કલમ પ્રેમીઓને
કલમની કેડીએ દોરી રહ્યા છે અને જગતમાં વસતા ગુજરાતીઓને કલમ દ્વારા આનંદ
આપી રહ્યાછે તે અહીંના કલમપ્રેમીઓ માટે અભિમાન છે.તેની યાદરૂપે  આ લખાણ
સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,નવીનભાઈ બેંકર સહિત હ્યુસ્ટનના સૌ કલમ  પ્રેમીઓના
જય શ્રીકૃષ્ણ અને જય જલારામ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment