આંગળી ચીંધી
. .આંગળી ચીંધી
તાઃ૧૬/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળતા જીવને અવનીએ,કર્મબંધન જકડી જાય
પ્રેમની નિર્મળ રાહ મળે,ત્યાં સુખ શાંન્તિ મળી જાય
………..પવિત્રપ્રેમથી ચીંધેલ આંગળીએ સાચીરાહ મળી જાય.
માનવ જીવનએજ કૃપા પ્રભુની,દેહ મળતા સમજાય
સરળરાહ મળે જીવને,જ્યાં માબાપનો પ્રેમમળી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
વડીલને પ્રેમેવંદન કરતા,સત્માર્ગે આંગળી ચીધી જાય
………..મળે સાચીરાહ જીવને,જે જીવને શાંન્તિ જ આપી જાય કરેલ કર્મ જકડે જીવને,જે માનવીને થતા કર્મથી દેખાય મળે શાંન્તિ જીવને,જ્યાં પ્રભાતે સુર્યદેવના દર્શન થાય કૃપા જીવ પર થાય સુર્યદેવની,જે અનુભવથીજ દેખાય ના માગણીમોહની આશારહે,કે નાકોઇ અપેક્ષાએજકડાય ………..એજ સાચી જ્યોતકૃપાની,જીવને મુક્તિમાર્ગે લઈજાય. ====================================