નિર્મળરાહ.
. . નિર્મળરાહ
તાઃ૨૯/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,ત્યાં નિખાલસતા સહેવાય
આધી વ્યાધી ને ઉપાધી ભાગે,જ્યાં નિર્મળરાહ મેળવાય
…………મળે જીવને પવિત્ર જીવન,એ મોહ માયાને તોડી જાય.
નિર્મળ પ્રેમની ગંગા વહે,જ્યાં જ્યાં માનવતા મળી જાય
ભક્તિ પ્રેમને પકડી ચાલતા,પરમાત્માની કૃપા થઈ જાય
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે ઉજ્વળ જીવન દઈ જાય
આશિર્વાદની પવિત્રરાહે,જીવનમાં ના તકલીફ મળી જાય
……………એજ સાચી કૃપા પ્રભુની,જે સંતાનના વર્તને દેખાય.
આગમન વિદાયની દ્રષ્ટિ,જગતમાં નાકોઇ જીવથી જોવાય
કર્મની ઉજ્વળ કેડી લેતાં,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
મળે દેહને માનઅવનીએ,જ્યાં જીવને નિર્મળરાહ મળીજાય
કુદરતની છે અપાર લીલા,જીવને વિદાય વેળાએ સમજાય
…………અવનીપરનુ આવનજાવન,જીવને માયાથી સમજાય.
**************************************************