મારુ તારુ
. . મારુ તારુ
તાઃ૨૯/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમથી ભક્તિ કરતા,પાવન રાહ મળી જાય
શ્રધ્ધારાખીને દીવો પ્રગટતા,જીવનસુખી થઈ જાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
ઉજ્વળજીવનની કેડી મળે,જ્યાં કૃપાપ્રભુની થઈજાય
ના મારુ તારુની માયા વળગે,એ જન્મસફળ કરી જાય
મળે દેહને માન સન્માન,જ્યાં પવિત્રરાહ દેવાઈ જાય
અનેક જીવોને શાંન્તિ મળતા,પરમાત્માની કૃપા થાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
મળતી માયા કાયાને જગે,જે કળીયુગની કેડીએ દેખાય
શાંન્તિનો સહવાસ મેળવવા,પવિત્રપ્રેમથી ભક્તિ થાય
મારુ એતો જીવનો સંબંધ,ને તારુએ કર્મબંધનથી દેવાય
ના માગે મળે જીવને જગતમાં,એજ સાચી કૃપા કહેવાય
………….એજ સાચી ભાવના જીવની,નિખાલસ પ્રેમ પામી જાય.
=====================================