July 6th 2015

ભક્તિનો માર્ગ

.          . ભક્તિનો માર્ગ

તાઃ૬/૭/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની આ અજબ  છે લીલા,આગમને દેખાય જીવને મળેલ દેહ અવનીએ,ભક્તિ માર્ગે જ સમજાય …….શ્રધ્ધાએ કરેલ પ્રાર્થના,પરમાત્માના ચરણને સ્પર્શી જાય. મનનેમળે છે માયા જીવનમાં,જ્યાં કળીયુગ અડીજાય
અપેક્ષાની ચાદરને છોડતા,જીવને શાંન્તિજ મળી જાય
સાચાસંતને શરણે જતા,નિખાલસ જીવન આ થઈજાય
જલાસાંઈની સાચી રાહે,જીવને ભક્તિ માર્ગ મળી જાય ………એજ સાચી ભક્તિ છે,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
કર્મના બંધન એજ જીવના સંબંધ,જે કર્મ થકી મેળવાય અજબશક્તિ અવીનાશીની,જન્મમરણના બંધનેદેખાય
માતાપિતાનો પ્રેમ સાચો,જીવને દેહ મળતાજ સમજાય મળેલ દેહને પાવન કરવા,સંત જલાસાંઇની ભક્તિથાય
………જે જીવને નિર્મળ જીવન આપી,મુક્તિ માર્ગે જદોરી જાય. ====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment