સરળરાહ
. .સરળરાહ
તાઃ૧૩/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં સમયનો સાથ મળી જાય
નિર્મળતાનો સાથ મળતા,મોહમાયા જીવથી આધી જાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
અવતરણના બંધન છે જીવના,દેહ મળતાજ એ સમજાય
મનુષ્ય જીવન એ કૃપા પ્રભુની,સરળ જીવનથી મળી જાય
દાન માનને દુર રાખીને જીવતા,લોભ મોહ દુર ભાગી જાય
અંતરમાં આનંદની મહેંક રહે,પરમાત્માનો પ્રેમ મળી જાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
લઘરવઘર જીવન છે જીવનુ,જ્યાં કળીયુગીકેડી અડી જાય
સંબંધ પકડે છે દેહને અવનીએ,જે કર્મે જીવને જકડતો જાય
સુખદુઃખનાવાદળ તોવરસે,જગે ના સાધુબાવાથીય બચાય
ભક્તિભાવની નિર્મળરાહે,જીવનેમળેલ જન્મ સફળથઈજાય
………..મળે જીવને સરળ જીવન,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય.
*********************************************