જગતની જ્યોત
. .જગતની જ્યોત
તાઃ૨૧/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યદેવના આગમનથી જગતમાં પ્રકાશ પથરાઈ જાય
સાહિત્ય જગતનીજ્યોત જગતમાં હ્યુસ્ટનથીપ્રસરી જાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇ સાહિત્યજ્યોત પ્રગટાવી જાય.
આજકાલને ના આંબે કોઇ,કે ના જન્મ દીવસથી છટકાય
૧૮મી ફેબ્રુઆરીએ જન્મદીન,જે ઉંમરે ભુતકાળ થતોજાય
અજબપ્રેમ મળે કલમપ્રેમીઓનો,જે કલમથીજ મેળવાય
સંગ મળ્યો જ્યાં રેખાબેનનો,ત્યાં જીવન ઉજ્વળથઈજાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇની જન્મદીને કૅક કપાઇ જાય.
સાહિત્ય સર્જકો મળે પ્રેમથી,જે નિર્મળ સ્નેહથી મેળવાય
આણંદમાં હો કે અમદાવાદમાં,કે પછી ભાવનગરમાંય હો
જગતમાં પ્રસરે સાહિત્યપ્રેમ,જે કલમપ્રેમીઓથીમળીજાય
કલમની કેડીસંગે પ્રેમ નિખાલસ,એસાચાપ્રેમથી મેળવાય
…એવા કલમપ્રેમી વિશ્વદીપભાઇની જન્મદીને કૅક કપાઇ જાય.
===================================================
. .હ્યુસ્ટનની સાહિત્ય સરીતાની જ્યોત જગતમાં પ્રસરાવી નિખાલસતાનો
સંગ રાખી ઉજ્વળ જીવનની રાહ દોરતા એવા શ્રી વિશ્વદીપભાઇને હ્યુસ્ટનના
કલમપ્રેમીઓ સહીત પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ સહિત Happy Birthday.