આધીવ્યાધી
. . આધીવ્યાધી
તાઃ૧૮/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આધી વ્યાધી ના આંબે કોઇ,કે જગે ના કોઇથી છટકાય
સમજણ સાચી સાથે રાખતા,ના તકલીક કોઇ અથડાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
માનવ જીવન એ કર્મની કેડી,જે દેહે બંધનથી સમજાય
અવનીપરનું આગમન થતાં,જીવને કર્મથી સ્પર્શી જાય
આધી વ્યાધીએ કળીયુગની ચાલ,ના કોઇથીય છટકાય
નિર્મળ ભક્તિ પ્રેમથી કરતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
આજે સમજીને કાલે કરીશ,એજ માનવીની મતી કહેવાય
કળીયુગમાં નાકોઇ રાહ મળે,કે નાકોઇનો સંગાથમેળવાય
અજ્ઞાનતાની એકજ કેડીએ,જીવને વ્યાધીએ મળતી જાય
ના કોઇને સમજણ પડે,કે ના આધી વ્યાધી થી દુર જવાય
……….એ જ કૃપા પરમાત્માની,જે નિર્મળ ભક્તિએ મળી જાય.
====================================