ભક્તિનો રંગ
. . ભક્તિનો રંગ
તાઃ૨૮/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમર તો છે સમયની કેડી,સમય સમયે સમજાઈ જાય
પાવનરાહ મળે છે જીવને,જે ભક્તિ માર્ગ બતાવી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
પ્રેમનિખાલસ પામવા જીવનમાં,શ્રધ્ધાએ જીવન જીવાય
મોહમાયાની કદમ છોડતા,જીવનમાં દરેક પળ સચવાય
સતત સ્મરણ કરતા જલાસાંઇનું,પરમાત્માની કૃપા થાય
આંગણે આવી કૃપામળે પ્રભુની,જીવને શાંન્તિ આપી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
મનથી કરેલ ભક્તિ સાચી,એજીવને સાચીરાહ આપી જાય
તનથી કરેલ મહેનત જીવને,શાંન્તિનો સંગાથ આપી જાય
માગણીની ના કોઇ આશા રહે,જ્યાં જીવને સઘળુમળી જાય
સરળ જીવનની રાહ મળે,જ્યાં સાચો ભક્તિ રંગ મળી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++