August 15th 2017
. .ગીરધર ગોપાલ
તાઃ૧૫/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં વ્હાલા ગીરધર ગોપાલા,મા જશોદાના દીકરા થઈ આવ્યા
રાધીકા સંગે એ મોરલી વગાડતા,ગોપીઓના એ વ્હાલાય કહેવાયા
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પવિત્રપ્રેમની ગંગાને વહેવડાવતા,મથુરામાં અનેકનો પ્રેમ મેળવી જાય
સમયની સાથે ચાલતા જીવનમાં,માની અનંત કૃપાનો લાભ લઈ જાય
વાંસળી વગાડી સ્વર દીધો પ્રેમીઓને,જે વૃદાવનમાંય સંભળાઇ જાય
તાલીઓના તાલને પકડી ચાલતા,ગોપીઓ સંગે એ ગરબે ઘુમી જાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,કૃષ્ણકનૈયા ગીરધર ગોપાલાય કહેવાય
અનેક પવિત્રનામનો સંગ રહેતા,અનેક ગોપીઓના વ્હાલાએ થઈ જાય
દાંડીયા સંગે વાંસળીય વગાડતા,ધરતીના જીવોને પાવનરાહ આપીજાય
પ્રદીપના એવ્હાલા શ્રીકૃષ્ણનો આજે જન્મદીવસ,સૌ ભક્તોથી ઉજવાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
=========================================================
No comments yet.