August 19th 2017
. .પવન દેવ
તાઃ૧૯/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિના છે અભિલાષી,નિર્મળ જીવનની પવિત્રરાહ આપી જાય
એજ પિતા છે બજરંગબલી હનુમાનના,જગતમાં કોઇનાથીય ના અંબાય
.....એવા પવનદેવની પાવન કૃપા મળે જીવને,જ્યાં તેમને શ્રધ્ધાએજ નમન કરાય.
કુદરતની આજ પાવનરાહ છે અવનીએ,મળેલ દેહના વર્તનથી સમજાય
માતા અંજનીના પવિત્ર સંતાન હનુમાનજી,જેના પિતા પવનદેવ કહેવાય
શક્તિનો સંગાથ હતો શ્રીહનુમાનને,જે પરમાત્મા શ્રીરામને મદદકરી જાય
રાજારાવણને મળેલ દુષ્માર્ગને ટકોરી,લંકામાં શક્તિશાળીનુ દહનકરી જાય
.....એવા પવનદેવની પાવન કૃપા મળે જીવને,જ્યાં તેમને શ્રધ્ધાએજ નમન કરાય.
પરમકૃપા પરમાત્માની છે અવનીપર,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ અનુભવાય
ના અભિમાનની કેડી અડે જીવને,કે ના મોહ માયાના વાદળ સ્પર્શી જાય
અજબલીલા પરમાત્માની અવનીપર,જે શ્રીરામનો દેહ અયોધ્યામાં મેળવાય
માતા સીતાએ પવિત્રરાહે મેળવેલ સંસ્કાર,જે પતિની પાવનરાહે ચાલી જાય
.....એવા પવનદેવની પાવન કૃપા મળે જીવને,જ્યાં તેમને શ્રધ્ધાએજ નમન કરાય.
=============================================================
No comments yet.