August 3rd 2017

આવ્યો આંગણે

..Related image..
.              .આવ્યો આંગણે 

 તાઃ૩/૮/૨૦૧૭                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આવ્યો આંગણે પ્રેમ સ્નેહીઓનો,જીવનમાં પ્રેમીઓનો નિર્મળપ્રેમ મળી જાય
અજબ કૃપાએ પરમાત્માની શ્રધ્ધાએ,જે સુખસાગરના વાદળને વરસાવી જાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
કર્મના બંધન એજ જીવને સ્પર્શે,જગતમાં ના કોઇજ જીવથી દુર રહી જવાય
જન્મ મરણનો સંબંધ તો છે અવનીએ,એજ જીવને આવનજાવન આપી જાય
મોહમાયા એ કળીયુગનીકેડી,જેનો જીવને કુદરતની કૃપાએ અનુભવ પણ થાય
મનથી કરેલ નિર્મળ શ્રધ્ધાભક્તિજ,મળેલા માનવ જીવનને સન્માન આપી જાય
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
શ્રધ્ધા રાખીને આંગણુ સાફ કરતા,મળેલ ઘરમાં પરમાત્માની કૃપા આવી જાય
નિર્મળજીવનની રાહ મળે માનવીને,જે જીવનમાં અનંતશાંંતિ પણ આપી જાય
એજ કૃપા છે કુદરતની માનવદેહ પર,ના કદીય કોઇ અપેક્ષા જીવનમાં રખાય
આંગણે આવી મળેલ સ્નેહાળ રાહ,એજ પાવનકર્મની કેડી જીવનમાં મળીજાય 
....મળેલ માનવજીવનની મહેંક પ્રસરે,જે જીવને મળેલ દેહથી અનુભવ થઈ જાય.
=============================================================
August 3rd 2017

પવિત્ર ગુરૂવાર

..Image result for પવિત્ર ગુરૂવાર..
.            .પવિત્ર ગુરૂવાર   

તાઃ૩/૮/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ઉજવળ જીવનનીરાહ મળે જીવને,જે નિર્મળ ભાવે કરેલ ભક્તિએ મેળવાય
મળેલ જીવને માનવદેહ અવનીએ,અનેક સંબંધે જીવોના કર્મથી સ્પર્શીજાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
સમયની સાંકળ એ અવનીએ મળે,જે જીવને મળેલ કૃપાએ અનુભવ થાય
પવિત્ર શ્રાવણ માસ એ હિંદુધર્મની રાહ,જે સત્કર્મથી જ જીવનમાં મેળવાય
સંત જલારામની ચિંધેલ આંગળી જીવોને,અન્નદાનથીજ પ્રભુકૃપા મળી જાય
પવિત્ર રાહે રહીને જીવતા પત્ની વિરબાઈ,સંસ્કાર સંગે પ્રભુને ભગાડી જાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
ગુરૂવાર પવિત્રદીવસ છેઅવનીપર,શ્રધ્ધાભક્તિએ જીવને સુખશાંંતિ મળીજાય
શેરડીમાં લીધેલ દેહ પરમાત્માએ સાંઇબાબાનો,જીવને પવિત્રમાર્ગે દોરી જાય
હિંદુમુસ્લીમ ધર્મને અભિમાનથી દુર રાખવા,માનવી તરીકે જીવન જીવી જાવ
નાકોઇ નિમિત બનેછે બાબાનાજન્મે,ને દેહ અંતે જમીનમાં વીલીન થઈજાય
....અદભુત લીલા છે પરમાત્માની,જે મળેલ દેહને પવિત્રરાહે જીવતા જ સમજાય.
===========================================================
August 1st 2017

પ્રેમનીગંગા

.Image result for પ્રેમ ગંગા.
.            .પ્રેમનીગંગા

તાઃ૧/૮/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહ એજ જીવને છે સ્પર્શે,જગતમાં કરેલ કર્મથી એ મળી જાય
પાવન રાહની પવિત્ર કેડી,પિતા ભોલેનાથની પ્રેમની ગંગાએ મેળવાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
પરમાત્માની કૃપા મળે દેહને,જ્યાં નિખાલસ ભાવના સંગે પુંજન થાય
કરેલ ભક્તિ પુજ્ય શ્રી ભોલેનાથની,સંગે માતા પાર્વતીનો પ્રેમ મેળવાય
ગજાનંદ શ્રીગણપતિએ સંતાન તેમના,જગતને કલમથી પાવન કરીજાય
અદભુત કૃપાળુ ભોલેનાથ છે અવનીપર,જે પવિત્ર ગંગાને વહાવી જાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
આગમન વિદાય એ સંબંધ જીવનો,જે મળેલ દેહથી જ સમજાઇ જાય
જીવનેમળે જ્યાં દેહપશુપક્ષીનો,નાકોઇ સમજણ જ્યાં નિરાધાર રહેવાય
કુદરતની જ્યાં પરમકૃપા મળે જીવને,ત્યાંજ માનવ દેહ મળતા સમજાય
ભક્તિભાવ શ્રધ્ધાએ રાખી પુંજન કરતા,શિવલીંગ પર દુધ અર્ચના થાય
.....શ્રાવણમાસમાં શ્રધ્ધારાખી,માતા પાર્વતી સંગે પતિ ભોલેનાથની પુંજા થાય.
===========================================================

	
August 1st 2017

કર્મ અને ધર્મ

.         .કર્મ અને ધર્મ   

તાઃ૧/૮/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને લાવે કરેલ કર્મ અવનીપર,જે દેહ મળતા જીવને સમજાય
પાવનરાહની પવિત્રકેડી મળે દેહને,જે પવિત્ર ધર્મથી પકડાઇજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
આગમન અને વિદાય જીવનો,એ કરેલકર્મના બંધનથી મળી જાય
કુદરતની પાવનરાહ મળે અવનીપર,જે દેહના કરેલ કર્મથી લેવાય
અભિમાન કે માનને દુરરાખીને જીવતા,જીવનમાં સરળતા મેળવાય
એજ કર્મબંધન છે જીવના,જે અવનીપર અનેકદેહ મળે સ્પર્શીજાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
પવિત્રકુળના સંતાન ગણપતિ,જેના માતા પાર્વતી ને પિતા ભોલેનાથ
અજબ શક્તિશાળી છે ભોલેનાથ,જે પવિત્રધર્મને સમજીનેજ જીવાય
હિંદુધર્મ એ પવિત્રધર્મની જ્યોત છે,જે અનેકજીવોને રાહ આપી જાય
કરેલ કર્મ એજ ધર્મથી સ્પર્શે દેહને,એ જીવનેપાવન પ્રેમ આપી જાય
....અજબલીલા છે ગજાનંદ ગણપતિની,જે તેમની પકડેલ કલમથી મેળવાય.
=========================================================

	
« Previous Page