December 7th 2018
. .વહેતી માયા
તાઃ૭/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની કાતર જીવને મળે,ત્યાં વહેતી માયા જ અડી જાય
કર્મનાબંધનનો સ્પર્શ માયા કરે,એ જીવને અનુભવથી સમજાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને દેહ મળે અવનીપર સમયે,એજ કર્મનુ બંધનજ કહેવાય
ના કોઇ જીવથી છટકાય જગતપર,એ અદભુતલીલા થઈ જાય
કરેલ પાવનકર્મ મળેલ દેહથી,જે મળેલદેહથીજ જીવને સમજાય
સત્કર્મનો સંગાથમળે સંબંધીઓનો,એ પરમાત્માની કૃપા કહેવાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
જીવને સંબંધ અનેકદેહથી અવનીપર,એ મળેલ દેહથી સમજાય
પશુપક્ષીપ્રાણી માનવદેહ એજ જીવપર કુદરતની લીલા કહેવાય
જીવ નિરાધારદેહથી દુર થાય કૃપાએ,જે માનવદેહ આપી જાય
આગમન વિદાયનો સંબંધ થાય જીવને,એ જન્મમરણથી દેખાય
......કુદરતની આ લીલા અવનીએ,જે યુગના સમય સંગે ચાલી જાય.
======================================================
No comments yet.