December 9th 2018

પકડ આંગળીની

.           .પકડ આંગળીની    

તાઃ૯/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહ મળે જીવને અવનીપર,પ્રભુકૃપાએ નિર્મળબુધ્ધી પણ મળી જાય
સરળ જીવનની રાહ મળે દેહને,જ્યાં ભક્તિરાહની ચીંધેલ આંગળી પકડાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
અવનીપરનુ આવનજાવન જીવનુ,જે જન્મમરણથી જગત પર દેહોને દેખાય
માનવદેહની પકડેલકેડી અવનીપર,દેહના અનેક વર્તનનોસંબંધ આપી જાય
પવિત્રકેડીનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પકડેલ પવિત્ર આંગળી દોરી જાય
આધીવ્યાધીને દુરરાખે પરમાત્માનો પ્રેમ,સરળ જીવનની જ્યોત પ્રગટી જાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
થયેલકર્મથી માનવદેહ મળે જીવને,જે કળીયુગમાં અનેકરાહે આંગળી ચીંધાય
નિર્મળજીવનનો સાથમળે દેહને,જ્યાં સંત જલાસાંઇની આંગળી પકડી ચલાય
મળેલદેહ પર કૃપા થાય પરમાત્માની,જે શ્ર્ધ્ધાભાવનાસંગે પાવનરાહ પકડાય
ના તકલીફ કે કોઇ અપેક્ષા અડે જીવનમાં,એ જ પવિત્ર પાવનકર્મ કહેવાય
......જે મળેલદેહને સત્માર્ગનો સંગાથ આપી,પાવનકર્મની પવિત્રકેડી આપી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment