December 19th 2018

સમજણ મળે

.               .સમજણ મળે
તાઃ૧૯/૧૨/૨૦૧૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવદેહને જીવનમાં સમયસમયના સંગે,સમજણનો સંગાથ મળી જાય
નિર્મળભાવના સંગે જીવન જીવતા દેહને,સત્કર્મનો સહવાસ જીવને દોરી જાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય.
સરળસંગાથ મળે સંબંધીઓનો દેહને,જ્યાં નિખાલસ ભાવનાથી જીવન જીવાય
અગડમ બગડમને છોડીને ચાલતા જીવનમાં,આવતીઆફત પણદુર ચાલી જાય
પળેપળ પરમાત્માના આશીર્વાદ મળે દેહને,જયાં નિર્મળભાવનાએ ભક્તિ થાય
આંગણે આવી પ્રેમ મળે જીવનમાં,એતો અંતરના અદભુત સહવાસથી મેળવાય
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
મેં કર્યુ અને તેં કર્યુ એતોછે કળીયુગની કાતર,સમયસમયે જીવનેએ સ્પર્શી જાય
સરળ જીવનનો સંગાથ મળે દેહને,ત્યાં પાવનરાહની પવિત્રકેડી દેહને દોરી જાય
મળેલ માનવદેહ જીવને અવનીપર,એતો જીવના ગત જન્મે કરેલકર્મ લાવી જાય
સત્કર્મનો સંગાથ રાખતા જીવનમાં,નાકદી મોહ કે માયાનો સંગ પણ મળી જાય  
......એ અદભુત લીલા પરમાત્માની અવનીપર,ના કદી મળેલ દેહથી કદીય છટકાય
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment