December 25th 2018

સ્વર્ગ વાસ

    
.              .સ્વર્ગવાસ 

તાઃ૨૪/૧૨/૨૦૧૮   (સોમવાર)      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોમવારના પવિત્ર દીવસે મારા પિતાજી,દેહ છોડી ભોલેનાથના શરણમાં જાય
મળેલ માનવદેહથી વિદાય લઈને,મારા વ્હાલા શ્રી શંકરભગવાનને ચરણે જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
સમયની સાથે ચાલતા પિતાજી,પાવન ભક્તિની પવિત્રરાહે સંતાનને દોરી જાય
મળ્યો અમને અંતરનો પ્રેમ જલાસાંઇ કૃપાએ,જે અનુભવની ગંગા વહાવી જાય
ભણતરની પવિત્રકેડી પકડી સંતાનોએ,જે દેહને સન્માનની ચાદર ઓઢાડી જાય
સદગુંણનો સંગાથ મળતા જ જીવનમાં,અનેક જીવોને કૃપાએ સદમાર્ગે લઈ જાય
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
પવિત્રકેડીએ જીવનજીવતા પત્નીકમળાબેનના પવિત્રપ્રેમે પવિત્રસંતાન મળી જાય
ચાર દીકરા અને ચાર દીકરીઓ મળ્યા કૃપાએ,જે શ્રીભોલેનાથનો પ્રેમજ કહેવાય
સંસ્કાર સાચવી નિર્મળતા સંગે જીવતા,સંતાન ભણતરની જ્ઞાનગંગા વહાવી જાય
મળેલ દેહોને સાચીરાહ મળી ગઈ,જે માબાપની પાવનકૃપાએ સંતાનને લઈ જાય  
......એજ મારા પિતા પર પરમકૃપા થઈ,ડીસેંબર ૨૪ના રોજ જીવને મુક્તિ મળી ગઈ.
==================================================================
      મારા પુજ્ય પિતાજીએ તાઃ૨૪/૧૨/૨૦૧૮ના રોજ ન્યુયોર્કમાં દેહ મુક્યો તે નીમિત્તે
પરમકૃપાળુ શ્રી સ્વામીનારાયણ સહિત સંત શ્રી જલારામ અને શ્રી સાંઈબાબાને અંતરથી
પ્રાર્થના કરી વિનંતી કરીએ કે તે જીવને મુક્તિ આપી અખંડ શાંન્તિ આપે તે પ્રાર્થના
સહિત લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હીમા,વિર,વેદના વંદન.
================================================================== 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment