May 9th 2019

ભક્તિની જ્યોત

           .ભક્તિની જ્યોત  
તાઃ૯/૫/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભક્તિપ્રેમની જ્યોત પકડી જીવનમાં,જે વિરપુર ગામને પાવન કરી જાય
પરમાત્માની પાવનકૃપા મેળવી,વિરબાઈ સંગે જલારામ ભક્તિ કરી જાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
કુદરતની કૃપા જગતપર જીવને મળી જાય,જ્યાં શ્રધ્ધા ભાવનાથી પુંજાય
અવનીપરનુ આગમન છે જીવનુ,જે જીવના થયેલ કર્મથી અનુભવ થાય
ના કોઈ માગણી કે માયા રહે દેહની,એ પાવન ભક્તિમાર્ગથી મેળવાય
જલારામની જ્યોત પ્રગટી જગતપર,અનેકજીવોને પાવનરાહ આપી જાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
પ્રેમની પરખ ના મળે દેહને અવનીપર,જે જલાસાંઇની ભક્તિએ સમજાય
કુદરતની આ પાવનલીલા જગતપર,જીવનમાં ભક્તિ જ્યોત પ્રગટાવી જાય
મળેલ માનવદેહને સુખશાંંતિનો સહવાસ મળે,જેમળેલ જન્મપાવન કરીજાય
કર્મનો સ્પર્શ એ જીવનો સંબંધ અવનીપર,જે અનેક દેહથી જીવને સમજાય
......એજ નિર્મળભાવનાથી ભક્તિ કરી,અનેક જીવોને અન્નદાન કરી રાજી કરી જાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment