October 4th 2019
. .માતા કાત્યાયની
તાઃ૪/૧૦/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાંડીયારાસ સંગે તાલી પાડીને,ભક્તો માતાને વંદન કરી જાય
મંદીર આંગણેઆવી ગરબેઘુમી,નરનારી જીવનપાવન કરી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
નવદુર્ગા માની કૃપા ભક્તોપર,એ માતા કાત્યાયની નમન કરાય
અનંત કૃપા માતા અવનીપર,જે નવરાત્રીમાં નવ સ્વરૂપે પુંજાય
તાલીસંગે દાંડીયા રમતા ભક્તોપર,માતાનો પરમપ્રેમ મળી જાય
પાવનકૃપા મળે જીવને,જે દેહને જીવને અનંતશાંંતિ આપી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય
નિર્મળ ભાવથી ગરબા રમતા,નવરાત્રીમાં દંડીયારાસ પણ રમાય
ગરબે ઘુમતા તાલીપાડતા ભક્તોને,માતાનીકૃપાનો અનુભવ થાય
સરળજીવનની રાહ મળે દેહને,જે જીવને સદમાર્ગે જ દોરી જાય
પ્રદીપના વંદન નવદુર્ગામાતાને,જે શ્રધ્ધાપ્રેમથી નમન કરાવી જાય
....મળે કૃપાસંગે પ્રેમ માતાનો,જે નવરાત્રીમાં માતાને વંદન કરાવી જાય.
=======================================================
No comments yet.