October 3rd 2020

. પવિત્રરાહ
તાઃ૩/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને અવનીપર,પવિત્રરાહ મળે જે પરમાત્માની કૃપાએ થાય
જીવનમાં સમયનો સંગાથ મળે મળેલદેહને,એજ શ્રધ્ધા ભાવથી મળી જાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય.
પાવનરાહ જીવનમાં મળે નિર્મળભક્તિએ,જે દેહને સરળજીવન આપી જાય
કુદરતની લીલા છે અવનીપર,જે સમયસંગે મળેલદેહને કર્મનીકેડીએ દેખાય
વાણીવર્તન એ સ્પર્શ સમયનો,જે જીવના માનવદેહના આગમનથી સમજાય
મળેલ દેહથી થયેલકર્મ એજ જીવનાબંધન,જે અવનીપર આગમનથી દેખાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય
મળ્યો પવિત્રદેહ માતાઅંજની કૃપાએ,જે શ્રીપવનપુત્રથી જગતમાં ઓળખાય
પવિત્રરાહ પરમાત્માએ દીધી દેહને,એ શ્રીરામના પરમ ભક્ત પણ થઈ જાય
હનુમાનજીના દેહને સંગાથ મળ્યો ગદાનો,જે રાજારાવણને મારવા દોડી જાય
લંકામાં અભિમાની રાવણનુ દહન કરી,સીતામાતાને શ્રીરામ સંગે લાવી જાય
....એજ કૃપા પરમભક્ત હનુમાનની,જે પરમાત્મા શ્રીરામના દેહથી મળી જાય
************************************************************
October 3rd 2020
. .જય બજરંગબલી
ત્તાઃ ૩/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી છે બળવાન જગતમાં,પવિત્ર રામ ભક્ત હનુમાન પણ કહેવાય
માતા અંજનીના લાડલાદીકરા,સંગે પિતા પવનદેવના સંતાનથીય ઓળખાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
પરમાત્માના જીવથી શ્રીરામસીતા જન્મ લઈ જાય,જે અયોધ્યામાં ઓળખાય
અવનીપર સદમાર્ગના સંગાથછોડી,જીવતા દેહોને રાહ આપવાએ આવીજાય
શ્રી રામને કળીયુગના સમયે દુર લઈ જાય,જ્યાં પત્ની સીતાને ઉપાડી જાય
લંકાના રાજા રાવણને માયા લાગતા,પવનપુત્ર હનુમાન ગદાથીજ મારી જાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
સીતાજીને ઉઠાવી ગયા પતિ શ્રી રામથી,જે ભારતમાં લંકાના રાજા કહેવાય
બજરંગબલીની કૃપા થઈ શ્રી રામથી,જે દેહને પાવન અજબશક્તિ દઈ જાય
રાવણ એ શંકભગવાનના ભક્ત હતા,પણ અભિમાનનીકેડી એ જીવતા થયા
પવિત્ર શ્રીરામને એ તકલીફ આપીગયા,જે સીતાજીને ઉઠાવીને ભગાડી જાય
બધી તકલીફથી બચાવવા શ્રીરામને,બજરંગબલી રાજારાવણનુ દહન કરીજાય
....ભારતની ભુમી પર એ જન્મ્યા,જગતપર અજબશક્તિશાળી જીવન એ જીવી જાય.
###################################################################