પ્રેમાળ જન્મદીવસ
. .પ્રેમાળ જન્મદીવસ તાઃ૩૦/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રપ્રેમ મળ્યો માબાપનો,જે નિશીતકુમારને પાવનરાહ આપી જાય પાવનરાહ પકડીને હ્યુસ્ટન આવ્યા,એ સમયે અમારા જમાઈ થઈજાય ....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય. મળેલ માબાપના આશિર્વાદ દેહને,જે દીકરાને ભક્તિમાર્ગે દોરી જાય શ્રી સ્વામીનારાયણ ભગવાનની ભક્તિથી,દેહને પાવનરાહ મળી જાય પવિત્રકૃપા મળી પ્રભુની,જેથી અમારી દીકરીના એ જીવનસાથી થાય માનવતાની મહેંક પ્રસરી અવનીપર,જીવનમાં નિર્મળરાહે કર્મ કરીજાય ....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય. મળેલ માનવદેહની નિખાલસતાએ,પાવનરાહે જીવતા પ્રેમ મળતો જાય અમારા રવિનાસંતાન વીરવેદને,વ્હાલા ફોઈફુવાનો નિર્મળપ્રેમ મળી જાય પદીપ,રમાને જીવનમાં શાંન્તિમળી,દીકરી જમાઈ પવિત્રરાહે જીવી જાય કર્મધર્મની પવિત્રરાહ મળી કુટુંબમાં,જે સુખશાંંતિની રાહથીજ મળી જાય ....એવા અમારા વ્હાલા નિશીતકુમાર,અમારી દીકરી દીપલના પતિદેવ કહેવાય. ============================================================= અમારી દીકરી દીપલના પતિ શ્રી નિશીતકુમારની આજે તાઃ૩૦ઓક્ટોબર તેમની ૩૯મી ઉંમર થઈ તે પ્રસંગે આ કાવ્ય તેમના જન્મદીનની યાદ રૂપે લખેલ છે તે તેમને સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ,રમા,રવિના જય શ્રી સ્વામીનારાયણ. **************************************************************