October 7th 2020

મળે કૃપા

પૂજાના સમયે જો મળે છે આ સંકેત તો સમજવું કે તમારા થઈ રહી છે ઈશ્વરની કૃપા - Laughing Gujju

.           . મળે કૃપા      

તાઃ૭/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રસંગને પારખી માતાને વંદન કરતા,દેહ પર માતાની પરમકૃપા થઈ જાય
શ્રધ્ધા રાખીને નિર્મળ ભાવથી પુંજન કરતા,જીવનમાં પાવનરાહ મળી જાય
.....મળે માતાનો પ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
નિર્મળરાહ મળે જીવનમાં,એ શ્રધ્ધાભાવથી વ્હાલામાતાની પુંજાએ મેળવાય
ગરબેધુમતા ભક્તજનોની પાવનપુંજા,જયાં દાંડીયારાસ સંગે મંજીરા વગાડાય
મળે પાવનપ્રેમ માતાનો નવરાત્રીમાં,એજ ભક્તોના નિર્મળ પ્રેમથીજ પરખાય
માતાના આશિર્વાદમળે આંગણે વંદન કરતા,જ્યાં શ્રધ્ધાથી આવકાર અપાય
.....મળે માતાનો પ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
પવિત્ર નવદીવસ એ નવરાત્રીથી ઓળખાય,જ્યાં પવિત્ર ભાવથી ભક્તિ થાય
મળેલ માનવદેહના જીવનમાં અનેકકર્મો થાય,એજ જીવના કર્મબધન કહેવાય
પવિત્ર ધરતીપર દેહમળે જીવને માતાકૃપાએ,જે પવિત્રકર્મ જીવને આપી જાય
પાવનકૃપા માતાની મળે ભક્તને,જ્યાં પવિત્ર તહેવારે માતાને વંદનપુંજનથાય
.....મળે માતાનોપ્રેમ નવરાત્રીએ,જ્યાં પરિવાર સહિત માતાને પ્રેમથી વંદન થાય
****************************************************************