October 29th 2020

વિરબાઈના વ્હાલા

**વીરપુર બન્યું જલારામ મય, આજે જલારામ બાપાની 220મીં જન્મજયંતિ, જાણો તેનો ઈતિહાસ – KINGSCOUGHT NEWS**
.           વિરબાઈના વ્હાલા  

તાઃ૨૯/૧૦/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

વિરપુરગામની જ્યોત પ્રગટી જગતમાં,જે જલારામની પવિત્રકેડીથી દેખાય
પત્ની વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે કુટુંબને પાવનરાહે લઈ જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
જલારામ પર પરમાત્માની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
માગણી ભીખનો સંબંધ મળેલ દેહને,જે જગતપર દેહના વર્તનથી દેખાય
મળેલજીવોના દેહને અવનીપર,જલારામ સંગે વિરબાઈ પ્રેરણા આપીજાય
કૃપા મળી સંત ભોજલરામની,ભક્ત જલારામને પાવનારાહથીજ પ્રેરી જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
પવિત્ર જીવ વ્હાલા પત્ની વિરબાઈનો,ના કોઇજ અપેક્ષા જીવનમાં રખાય
પતિ જલારામની પવિત્ર પ્રેરણા મળી જીવનમાં,જે તેમના વર્તનથી દેખાય
અવનીપરના અનેક દેહોને ભોજન આપી,જીવન જીવવાની રાહ આપીજાય
પરમાત્માની પાવનકૃપા જીવપર,જે જલારામ સંગે વિરબાઈના વર્તને દેખાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
******************************************************************

	
October 29th 2020

વ્હાલા સાંઇ

 **शिर्डीचे साईबाबा - Home | Facebook**    
.             .વ્હાલા સાંઇ           
તાઃ૨૯/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો સાંઇબાબાનો જીવનમાં,પાવનરાહે મળેલ જીવન જીવાય
શાંંતિની પાવનરાહથી દેહને,પવિત્રકર્મ સંગાથે બાબાની કૃપા મળી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
સુખદુઃખનો સંબંધ જગતપર મળેલદેહને,જે સમયસંગે ભક્તોને અનુભવથાય
પવિત્રદેહ લઈ પરમાત્મા આવે,મળેલદેહને પવિત્રકર્મની પ્રેરણા આપી જાય
પવિત્રભુમી ભારત અવનીપર,જ્યાં અનેક સ્વરૂપે પરમાત્મા દેહ લઈ જાય
વ્હાલા સાંઇબાબા પવિત્રજીવ ભોલેનાથનો,જે માનવજીવને સ્પર્શ કરી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
માનવદેહ લઈ સાંઇબાબા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળી જાય 
મળેલદેહને સંબંધ રાખવો માનવીનો,ના ધર્મ કર્મનો સંબંધ જીવનમાં રખાય
જીવને મળેલદેહ એ કૃપા પ્રભુની,જે ગતજન્મના થયેલ કર્મથીજ દેહ મેળવાય
માનવતાને જીવનમાં રાખી જીવતા,જગતપર બાબાની પ્રેરણા દેહને મળીજાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
**************************************************************