October 8th 2020

પવિત્રકૃપા

++++
              .પવિત્રકૃપા  
તાઃ૮/૧૦/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પાવનપ્રેમથી કૃપા મળી અમને,જે મારા વ્હાલા સંત સાંઇબાબાની કહેવાય
વંદન કરતા પ્રેમથીજ મારા જીવનમાં,બાબાનીકૃપાએ અનંતશાંંતિ મળીજાય
.....એવા મારા વ્હાલા શેરડીના સંતની,જીવનમાં પરમકૃપાનો અનુભવ થઈ જાય.
શ્રધ્ધાભાવથી પુંજનકરતા મનથી,શ્રી સાંઈબાબાના આગમનની પ્રેરણા થાય
આંગણે આવી આશિર્વાદઆપે અમને,જે કુળને જીવનમાં શાંંતિ આપી જાય
મનેતો વ્હાલા અમારા બાબા છે,જે જીવને માનવતાની આંગળી ચીધી જાય
અવનીપરના આગમને જીવને દેહ મળે,જે અનેક કર્મના બંધનથીજ સમજાય
.....એવા મારા વ્હાલા શેરડીના સંતની,જીવનમાં પરમકૃપાનો અનુભવ થઈ જાય.
ભારતમાં શેરડી ગામને પાવનકરવા,પધારેલ બાળકને દ્વારકામાઈ મળી જાય
પવિત્રજીવને કૃપા મળે પરમાત્માની,જે પાવનકર્મથી માનવતા પ્રસરાવી જાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃના સ્મરણથી,જીવને પરમશાંંતિનો સંગાથ મળીજાય
ભક્તિભાવનાનો સંબંધ રાખીને જીવતા,પાવન કર્મ જીવને મુક્તિ આપી જાય
.....એવા મારા વ્હાલા શેરડીના સંતની,જીવનમાં પરમકૃપાનો અનુભવ થઈ જાય.
**************************************************************