મળેલ શાંન્તિ
. મળેલ શાંન્તિ
તાઃ૯/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની કેડી નિરાળી,સાચી માનવતાએ મળી જાય
કળીયુગની કાતર છુટે,ત્યાંજ મનને શાંન્તિ મળી જાય
. ………………..કુદરતની કેડી નિરાળી.
અગમ નિગમના ભેદ અનેરા,ના કોઇથીય છટકાય
કળીયુગની આ માયા અનેરી,સમયે સમયે સમજાય
મળે જ્યાં માયાનોમોહ જીવને,ત્યાંઅહીં તહીં ભટકાય
અંત નાઆવે દેહનો અવનીથી,કુદરતી લીલાકહેવાય
. ………………..કુદરતની કેડી નિરાળી.
જીવને મળે છે શાંન્તિ જગમાં,જ્યાં મનથી ભક્તિ થાય
જલાસાંઇની સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
પ્રેમ નિખાલસ મનથી કરતાં,માનવતાય મહેંકી જાય
મળેલ શાંન્તિ જીવને અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
. …………………કુદરતની કેડી નિરાળી.
=================================