જોગી જલારામ
મનના મેળ મળ્યા છે તમથી વિરપુરના વ્હાલા જલારામ જોગી,
સૌ સુખ છોડી દુખથી બચવા શરણે જલાને આવ્યા જગતને છોઙી.
ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો ને અંતરમાં ઉજાશ લાવો
…..મનના મેળ
અંતરને તો એક અણસાર છે, પંણ મનમા છે એક આશા
કોણ જગતનો તારણહાર છે, ને કોણ જગતનો સજૅનહાર
તુજથી નથી આ છાનુ જગમા વલખા શાને મિથ્યા હુ મારુ.
...ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો
મન વચનમા એક રટણ છે જોગી જલાનુ સતત સ્મરણ છે
રામનામનુ રટણ જલાથી પ્રદીપનુ જીવન ઉજ્વળ જલાથી
તનમનના લો મેલને કાપી સાત્વીક જીવન અમને આપી
...ઓ જોગી જલારામ દુખના દરીયા ટાળો
—————