મનન.

                                મનન.
તાઃ૭/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથમાં તલવાર ને બીજા હાથમાં ફુલ
એક કરે દેહને અને બીજુ કરે હૈયા ડુલ.

વાણીમાં રહેલા છે બે ગુણ
એક વરસાવે હેત બીજે છે અવગુણ.

ગંધમાં સમાયા છે બે ગુણ
એક ટાઢક હૈયે દે બીજી ભગાવે દુર.

કલમ કરે જગતમાં બે કામ
એક લગાવે પ્રીત બીજી હૈયામાં દુખ.

સંતાનના બે સ્વરુપ
એકથી માયા પામે બીજાથી પામે ત્રાસ.

મુક્તિ પામવાની બે રીત
એક દેહ પાવન થાય બીજો છુટકારો થાય.

ભક્તિના બે રુપ છે
એક સંસારી ભક્તિ ને બીજી સંતની ભક્તિ.

કોઇપણ વસ્તુ મેળવવાની બે રીત છે
એક તમારી લાયકાત બીજો પુરુષાર્થ.

લાગણી ના બે સ્વરુપ
એક ભારતીય અને બીજી અમેરિકન.

——————————————–

Leave a Reply


 Type in