November 11th 2008

ભક્તિથી ભજાય

                           ભક્તિથી ભજાય

તાઃ૧૦/૧૧/૨૦૦૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચો મનમાં સ્નેહ ભરીને, પ્રેમ લઇને હું આવ્યો
વિરપુરવાસી કરુણા કરજો, દેજો લ્હાવો ભક્તિનો
                               ….મારા હૈયે સદા નિરંતર રહેજો
આવ્યો શરણે આજ તમારે, રાખજો અમપર હેત
ભક્તિ શક્તિની મળે મને, ને જીવને નારહે મોહ
                              …..મુજપર રાખજો બાપા મનથીહેત
રામનામની માળાજપતાં,રહું જલાબાપાનાશરણે
માયાનાબંધન ના ખટકે,જોજો મારોજીવના ભટકે
                              …રહે સદા નિરંતર દિલથી ભક્તિપ્રેમ
બાપા મારા શરણે લેજો,જીવન કરજો મારુ પાવન
નિર્મળ પ્રેમ સદા મળે પ્રદીપને,ના લાગે કોઇ ખોટ
                              ….પ્રેમથીભક્તિ કરતો રાખી મનમાંટેક
વિરબાઇમાતાનો પ્રેમ મળે,તો જીવન ઉજ્વળથાય
સંસારની માયા દુર ભાગે,જ્યાં શ્રધ્ધા સાચી લ્હાય
                              …..મને બાળક માની ભુલો કરજો માફ.

____________________________________________________

November 10th 2008

ભક્ત અને ભક્તિ.

                                     ભક્ત અને ભક્તિ
તાઃ૯/૧૧/૨૦૦૮                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

            જીવને જન્મ મળે એટલે કે દેહ ધારણ થાય અને તે જ્યારે સમજવાની કક્ષામાં
પગ મુકે અને મન કાર્યરત થાય એટલે તેદરેક બાબતે પોતાના લક્ષ નક્કી કરે છે.બાળક
સ્કુલમાં જાય તો ત્યાં તેનુ લક્ષ છે ભણવાનું એટલે કે તેમાતાસરસ્વતી નો ભક્ત કહેવાય,
તેવી જ રીતે જ્યારે ઘર સંસાર શરુ થાય ત્યારે તે પોતાની બુધ્ધીનો  ઉપયોગ કરી ઘર
ચલાવવા નાણાંની જરુર પડતા તેનુ લક્ષ ધન કમાવવાનું થાય ત્યારે તે માતાલક્ષ્મીનો
ભક્ત કહી શકાય.
           આમ જીવનના દરેક ક્ષેત્રે તે જીવ ભક્ત બને જ છે. અને જ્યારે શરીર નિવ્રુત્તીના
આરે આવે ત્યારે બીજા જીવો તેમની રીતે લક્ષને વળગી રહેછે જ્યારે મનુષ્ય પરમાત્માની
કૃપા પામવાનુ લક્ષ રાખી તે પ્રભુનો ભક્ત બને છે.અને આ જ રીતે જીવ તે લક્ષને પ્રાપ્ત
કરવા માટે જે મહેનત કરે તેને ભક્તિ કહેવાય કારણ ભક્ત તેના ધ્યેયને પહોંચવા પ્રયત્ન
કરે છે જેને સમઝણ શક્તિ પ્રમાણે ભક્તિ કહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

November 10th 2008

ચાં હાલ્યા

                           ચાં હાલ્યા

તાઃ૭/૧૧/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ મગનભાઇ,ઓ કાનજીભાઇ.ઓ છોટાલાલના ભાઇ
આ મુકી માયા તમે ચાં હાલ્યા, આ લફરાં લટકે અહીં
                                ….ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ
મને ના હુઝે ના મન મારુ ડુબે,આ લટકી લાંબી કતાર
નાહુ ભુલ્યો કેનાકાંઇ હું બોલ્યો,ચાં હાલ્યા છોડીઘરબાર
                                 ….ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ
મારું લટકેમન નાઅટકેતન,મજદુરી કરે મનદઇઅપાર
જગ છોડી ઝંઝટ ના દઉ હું પળ,જે વળગે જગેપળવાર
                                …..ચાં હાલ્યા તમે ઓ મગનભાઇ.
તમે છટકી નાસી ગયા ને મારી મુઝવણ વધી દસબાર
મનેસાથેરાખો ને મારાદુઃખડાંકાપો જે મને મળ્યાઅજાણ
                                    …..મને મુકીને તમે ચાં હાલ્યા.
મારી કાયાકાચી પણલાગી માયા આ જગમાં વારંવાર
એકને છોડું ને બીજી વળગે,જેની મને કદી નાપહેચાન
                                   …..મને મુકીને તમે ચાં હાલ્યા.

ફ્ફ્જ્જ્જ્ક્ફ્જ્સ્જ્ક્જ્ક્જ્જ્જ્ક્જ્ફ્જ્ક્જ્ક્જ્ક્જ્ક્જ્ક્જ્જ્જ્સ્જ્ક્જ્જ્ક્ક્ક્સ્જ્લ્જ્જ્સ્લ્જ્સ્સ્લ્જ્સ્જ્સ્

November 9th 2008

ખટારાની આત્મકથા

                        ખટારાની આત્મકથા

તાઃ૮/૧૧/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટીપા ટીપ કરતાં કરતાં ભઇ હાથ પગને બનાવ્યા
સ્ક્રુ હથોડી હાથમાં લઇને, શરીરના ભાગ લગાડ્યા

વેલ્ડીંગ કરી ભાગ જોડ્યા,ને કમરને પાટો બાંધ્યો
હેડ ઉચું કરી બનાવ્યુ મોટું,ને ટેંક લગાવી છે નીચે

ટાયર શોધી લગાવીદીધા,સ્ટીયરીંગ લાંબુ લાવ્યા
બ્રેક પૅડ ને પકડી રાખી, સ્ક્રુ લગાવ્યા ચારે બાજુ

હાથ કમરને હેડ બનાવી,માનવીએ મહેનતકીધી
મળ્યો દેહ જાણે ધરતી પર, રંગે સજધજ કીધી

ખુશહાલીના ખેલ જોતાંતો ભઇ કમરે ભાર લદાણો
મણ બેમણ નામુકતા આ તો ટન બેટન મુકી દેતા

ઉંમરની ચબરખી મારેલી જોઇ,લઇ ગયા લેનારા
મનથી મહેનત કરતાં કરતાં,વિત્યાં વીસેક વર્ષ

ફાટ્યા ટાયરને પંચરથયા,નેહવે બ્રેક બગડી ગઇ
ઉતાવળની નાટેવ રહી,હવે ગતી ધીમી થઇઅહીં

લાગ મળતા લાત મારી,મારામાલીક હતા જેભઇ
ખખડતાં ને હવે ના ચલાતાં,ભંગારે વેચાયો અહીં

માનવતાની મહેંક સાંભળેલી,જે અનુભવાઇ ગઇ
મનથી મહેનત કરતાં તો પણ,મૃત્યુ બગડ્યુંઅહીં

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

November 7th 2008

મુ.આદિલભાઇ ને શ્રધ્ધાંજલી

              

                    મુ.આદિલભાઇ ને શ્રધ્ધાંજલી

તાઃ૭/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ તમારી કલમ ચાલતી વાંચી હૈયે હેત ઉભરાવતી
મળતી લાગણી વાંચક સૌને હાથથી આપના જે લખાતી

વંદન એ સરસ્વતીસંતાનને જેણે શબ્દોને દીધો અવતાર
ના ભેદભાવ કે નાકોઇ અહમ દીઠો મેં આપ્યો સાચો પ્રેમ

જગત નીમ છે એક પ્રભુનો  જન્મ જગે જેને  મળી જાય
અવસાન ચોક્કસ મળશે તેને મૂત્યુ જેને જગમાં કહેવાય

આવી અવની પર સાર્થક જન્મ અમારા આદિલભાઇનો
અમારા આ દીલ અર્પણ  કરીએ  તમારી  શ્રધ્ધાંજલીમાં

અમરથયા તમો ને  આલ્મીયતા મળી અમોને હ્યુસ્ટનમાં
આવ્યાઅમોને પ્રેમ દેવા જેદીધા સૌ લેખક મિત્રોને અહીં

પ્રદીપ પ્રેમે સન્માન કરે ને કરે દીલે વિનંતી પરમાત્માને
દેજો મુક્તિ મુ.આદિલભાઇને જેણે દીધા લેખકોને સન્માન

———————————————————-
       મુ.પુ.આદિલભાઇની આ ધરતી પરની વિદાયના પ્રસંગે અમો સૌ હ્યુસ્ટ્નના ગુજરાતી સાહિત્ય સરિતાના સભ્યો તથા પ્રદીપ બ્રહ્મભટ્ટ ની પરમાત્માને પ્રાર્થના કે તેમના પવિત્ર જીવને અનંત શાંન્તિ આપે અને  અખંડ તેમના ચરણમાં સ્થાન આપે.

પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા જીઍસઍસના સભ્યો.હ્યુસ્ટન.

November 7th 2008

વિદેશી દુનીયા

                            વિદેશી દુનીયા

તાઃ૬/૧૧/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ લટક મટકતી દુનીયામાં, ભઇ હું ઠુમકા મારતો ચાલુ
આગળ પાછળનો વિચાર ના કરુ તો ગયો કામથી માનુ
                                       …..આ લટક મટકતી દુનીયામાં
પહેર્યુ પૅન્ટ કે હાફ પૅન્ટ ને મનમાં સમજુ હું થયો વિદેશી
કોલરશર્ટના ઉચા રહ્યાત્યાં માન્યુ કે અહીં જીંદગી ઉચીથઇ
લફરુ એક લટકે ત્યાં ભઇ જાણે ચાંદ પર જોડી પહોંચીગઇ
                                       …..આ લટક મટકતી દુનીયામાં
શંભુમેળો ભેગો થયો જ્યાં મોટી મોટી વાતો ચાલતી થઇ
મેંઆ કર્યુ નેતે કર્યું તેમ મોંમાંથી આજે વાચા છુટતી ભઇ
સમજમાં જ્યાં ન આવે ત્યાંઅમે તો વાત બદલતા અહીં
                                       …..આ લટક મટકતી દુનીયામાં
દુનીયાની આ સમજમાંથી ભઇ, છુટવા હું મથતો અહીં
સંસ્કાર સિંચનને વળગીરહેતા, મનમાં વાત ઉતરતી થઇ
લાતલફરાને મારીત્યાં વિદેશનીહવા મગજથીનીકળી ગઇ
                                       …..આ લટક મટકતી દુનીયામાં

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

November 6th 2008

હૈયામાં આનંદ

                                       હૈયામાં આનંદ

તાઃ૬/૧૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત  આનંદ હૈયે  થાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
પવિત્રપાવન જીવન થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જગનાબંધન અળગા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સસારી જીવન સાર્થક થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
માબાપની સાચી કૃપા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મનની મુરાદ સૌ પુરી થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
આશીશ મળે ને આનંદથાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
નિરંકારી ને નિર્મળ થવાય ,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જીવને જન્મ સાર્થક દેખાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સંતાનનો  સાચો સ્નેહ  મળે, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
દેખાવની દુનીયા ડુબી જાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
કામણકાયાના મોહ છુટીજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મારુતારુ સૌ અળગુ થઇજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય

============================================

November 6th 2008

પુ.શ્રી જલાબાપાના જન્મદીને

                     

                 પુ.શ્રી જલાબાપાના જન્મદીને
                     (કારતક સુદ સાતમ)
તાઃ૫/૧૧/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જલારામ જય જલારામ, રટતા હૈયે આનંદ થાય
રામનામની જપતા માળા જીવ જગતમાં ખુબ હરખાય.

વિરપુર ગામમાં જન્મ લીધો,  ને ભક્તિથી કર્યો પોકાર
સંત સમાગમ સ્નેહ ભરીદે,ને અન્નદાનથી ઉભરાય હેત
જીવે જ્યોત જલાવી પ્રેમે, જોઇ સદા પ્રભુ પણ હરખાય
એવા જલાબાપાનો આજે, જન્મદિન જગે છે ઉજવાય.

વિરબાઇમાતાની શ્રધ્ધા મનથી,ભક્તિએ જીવ મલકાય
અન્ન તણી વહેતી ગાગરમાં,સાગર સરખો છે જ્યાં પ્રેમ
નાલાલચ ના મોહ મળે,જ્યાં થતી હૈયાથી ભક્તિ પ્રીત
એવા વિરબાઇ માતાના નાથની,જન્મ જયંતી ઉજવાય.

લાગી માયા રામનામની,ને બની જગની માયા મિથ્યા
ભક્તિ પરમાત્માની કરતા, જગજીવોને મળે સાચો પ્રેમ
કરતાં દાન અન્નતણા જ્યાં,માનવ હૈયાથી મળતો સ્નેહ
એવા વિરપુરવાસી બાપાનો, આજે જન્મદિન ઉજવાય.

માગણીમનથી કરતો પ્રદીપ,બાપા રાખજો અમોપર હેત
ભુલથાય આપના ભક્ત થકીતો,પ્રભુને વિનતીકરજો છેક
રમા,રવિને હેત દેજો ને પ્રેમ, જન્મ સફળ થાય આ એક
એવા જલાબાપાનો જગતમાં જન્મદીન આનંદે ઉજવાય,

#########જય જલારામ બાપા###############

November 4th 2008

જીવનો માર્ગ

                           જીવનો માર્ગ

તાઃ૩/૧૧/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ લગાડી છે માયા સાથે, સંસારે જીવ ખટકાયો
ભક્તી સાચી,શ્રધ્ધા રાખી, જગજીવનથી અટકાવો

મળતા માનવદેહ ધરતી પર,સેવા સાથે મળનારી
સમજુ જીવ મુક્તિ માગે,આજગે જે સાચી કરવાની

દુનીયાઆખી વિશાળ લાગે,પ્રભુકૂપા જ્યાં લેવાની
આતમદીપની જ્યોતજાગે, જીવને મુક્તિમળવાની

અંતરે આનંદ ને હૈયેહેત,જ્યાં પ્રેમ પ્રભુથી થવાનો
મીથ્યા જગની માયા એવી,જે સાથે તારે સથવારો

આવ્યા પામી દેહ અવનીપર,સાર્થક જીવે કરવાનો
એક પ્રેમની ભક્તિ મળતાં, જગજીવન તુ તરવાનો

દેખ આંખમાં પ્રેમ અનેરો, જલાબાપા મનમાં રાજી
મળે વિરબાઇ માતાની આશીશ,નારહે કોઇ વ્યાધી

++++++++++++++++++++++++++++++++++++++++++++++

November 3rd 2008

કળીયુગમાં ખોટ

                       કળીયુગમાં ખોટ
          
તાઃ૨/૧૧/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહ સ્વભાવ ને વર્તન જગમાં,જીવને દે નિરાંત
હેત મળે જ્યાં હૈયાથી જીવને,આનંદ સદાવર્તાય
                             ….જેની ખોટ આ કળીયુગે દેખાય
માનવ મનથી ભાગે હેત, ને તિરસ્કાર ઉભરાય
ક્યાંક ક્યાંક તો મહેક મળે,જ્યાં સાચી ભક્તિથાય
આવે જીવો એ અવનીપર,જે સાર્થક કરવા જન્મ
મન મહેંકે માનવતાથી,ને ઉજ્વળ વર્તન દેખાય
                             ….જેની ખોટ આ કળીયુગે દેખાય
સંતોના સંતાન થયા તોય, ભક્તિ મનથી ભાગે
પરમકૃપાળુ પરમાત્માની, લાગણી હૈયેના આવે
સત્ય,ધર્મને ન્યાયનીતી ને, મુકી નેવે સૌ રાખે
ના લાગણી ભક્તભક્તિથી,શાંન્તી ક્યાંથી આવે
                             ….જેની ખોટ આ કળીયુગે દેખાય

===========================================

« Previous PageNext Page »