જીવના મણકા
જીવના મણકા
તાઃ૧૬/૩/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ જગતના પાંચ મણકા,વળગી જીવને આવે
પરમકૃપાળુ પ્રભુની લીલા,જીવને જગતમાં લાવે
……….જીવ જગતના પાંચ મણકા.
પહેલો મણકો જન્મ છે,જે જીવને દેહમાં લાવે
આવે અવની પર એ જીવ,કર્મના બંધન માણે
………..જીવ જગતના પાંચ મણકા.
બીજો મણકો બાળપણ નો,જે નિર્દોષ પ્રેમ પામે
મળી જાય મોટાનો પ્રેમ,આનંદ આનંદ જ લાગે
………..જીવ જગતના પાંચ મણકા.
ત્રીજો મણકો જુવાની છે,જે જીવના કર્મને લાવે
સત્કર્મોનો સહવાસ રાખતાં,ઉજ્વળ જીવન પામે
……….જીવ જગતના પાંચ મણકા.
ચોથો મણકો એ ઘડપણનો,જે અપાર ત્રાસ લાગે
સગાં સંબંધી જ દુર ભાગે,જે ભક્તિમાં પ્રેમ લાવે
……….જીવ જગતના પાંચ મણકા.
પાંચમો મણકો મૃત્યુ છે,જે દેહને જ વિદાય આપે
ભક્તિ મનથી કરેલી જીવે, તે મુક્તિ સામી લાવે
………..જીવ જગતના પાંચ મણકા.
૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧