April 27th 2011

મંદ વાયરો

                           મંદ વાયરો

તાઃ૨૭/૪/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગઇ છે શાંન્તિ મનને,ને પ્રેમ કુદરતનો અપાર
મંદગતીએ વાયરો મળતાં,ઉજ્વળ સવાર થઈ જાય
                      …………મળી ગઇ છે શાંન્તિ મનને.
સહવાસ મળે જ્યાં કુદરતનો,ત્યાંપુણ્યકર્મ થઈ જાય
મળે પ્રેમ સગા સ્નેહીનો,આ જીવન પણ મહેંકી જાય
શાંન્તિ મળે ત્યાં મનને,જ્યાં દેહથી સત્કર્મો મેળવાય
જલાસાંઇની ભક્તિ લેતાં,મહેંક જીવનમાં પ્રસરીજાય
                     …………મળી ગઇ છે શાંન્તિ મનને.
આવે આંગણે પ્રેમ નિરાળો,ને ભવ પણ સુધરી જાય
મતીને મળે સંગાથસ્નેહીનો,જ્યાંમાનવી થઈજીવાય
જન્મમરણ ના બંધન નિરાળા,જે કર્મ થકી મેળવાય
ભક્તિની સાચીકેડીએ રહેતાં,આ જન્મસફળ થઇજાય
                      ………..મળી ગઇ છે શાંન્તિ મનને.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment