June 19th 2011

પિતા કે ફાધર

                         પિતા કે ફાધર

તાઃ૧૯/૬/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતા એતો પાલનહાર,ને જીવનેજન્મ પણ દેનાર
ઉપકારની સીમા ના સંતાને,એ કેમ કદીય ભુલાય
                          ………….. પિતા એતો પાલનહાર
અવનીપરના અવતરણને,પિતા પ્રેમથી મેળવાય
માતાનીમાયા મળતા,જીવનો જન્મસફળ થઇજાય
અગણીત ઉપકાર કરે તો ય,ના અભીમાન દેખાય
માફી દઈદે ભુલની થયેલી,જે સંતાનથી કોઇ થાય
                             …………પિતા એતો પાલનહાર.
પિતાપ્રેમ તો સદાય વરસે,ના કોઇકવાર મેળવાય
ફાધરડેની રસમ અહીંની,ના માતૃભુમીએ ઉજવાય
સંસ્કારની હેલી વહે ત્યાં,જે જન્મ ભુમી જ કહેવાય
માતાપિતાનો પ્રેમ પામતા,જન્મ સફળ થઈ જાય
                             …………પિતા એતો પાલનહાર.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment