June 10th 2011

કેમ નીકળાય

                      કેમ નીકળાય

તાઃ૧૦/૬/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી શાણપણથી,જે દેહને બચાવી જાય
આડીઅવળી કેડીથી જગમાં,શ્રધ્ધાએ ખસી જવાય
                   …………સમજણ સાચી શાણપણથી.
મળતી કેડી બાળપણમાં,જે મા પ્રેમથી મળી જાય
ઉજ્વળજીવનની દોરદીઠી,ત્યાં દુઃખદુર ભાગીજાય
આશીર્વાદની એક ટકોરથી,દુઃખના ડુંગર દુર જાય
સમજણશક્તિ ને શાંન્તિએ,સુખસંતોષ મળી જાય
                    …………સમજણ સાચી શાણપણથી.
ટકોર મળતી નાનીજ જીવનમાં,જ્યાં ઉભરો દેખાય
સાચવી લેતાં સમયની કેડી,વ્યાધીઓથી નીકળાય
ઉજ્વળતાની રાહમળે,જ્યાં જીવે પ્રભુકૃપા મેળવાય
દેહની વ્યાધી દુરજ જાય,ને પાવનજન્મ થઈ જાય
                      ……….સમજણ સાચી શાણપણથી.

++++++++++++++++++++++++++++++==