દેહનું ચણતર
દેહનું ચણતર
તાઃ૨૩/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ ભજન ને ભણતર,એજ જીવનનુ ચણતર
દેહ મળતા આ સમજણે,ના મળે ફરી અવતરણ
……….એ જીવની સાચી છે સમજણ.
મળે માનવદેહ જીવને,સંસ્કારની સાચી કેડી લેતાં
મળી જાય પ્રેમ જગતમાં,જે જીવન ઉજ્વળ દેતા
સાચી રાહ મળે દેહને,જેનાથી પુણ્યકર્મ કરી લેતા
ભજન ભક્તિથી પ્રભુકૃપા લઈ,સાર્થક જન્મ કરતા
……….એ જીવની સાચી છે સમજણ.
માગણી મોહ ને માયા મુકતાં,માનવ જીવન મહેંકે
ભણતરની સાચીકેડી સમજતાં,ઉજ્વળતા ફરી વળે
મળીજાય માનસન્માન દેહને,શાંન્તિ વર્ષા મળીરહે
પાવનકર્મ નેમાનવધર્મના સંગે,મુક્તિદ્વારખુલીજશે
………એ જીવની સાચી છે સમજણ.
===============================