December 2nd 2011

અંધારૂ

.                      અંધારૂ

૭/૧૧/૨૦૧૧    (અમદાવાદ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સહવાસ જીવનમાં,ઉજ્વળતા આપી જાય
મનને મળતી માયા દુર ફેંકતા,અંધકાર ભાગી જાય
.                      …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.
જીવનમા સોપાન નિરાળા,સાચી સમજણથી મેળવાય
પારખીલેતાં કામનીકેડી,જીવનમાં નિર્મળતા આપીજાય
કૃપા પ્રભુની મળતી જાય,જ્યાં નિખાલસતા આવી જાય
ઉજ્વળપ્રેમ અંતરથીમળતાં,જીવનમાંઅંધારૂ ભાગી જાય
.                        ……………શાંન્તિનો સહવાસ જીવનમાં.
પ્રગટે જીવનમાં દીપ પ્રેમનો,જ્યાં જલાસાંઇની કૃપાથાય
ઉજ્વળ કેડી પકડાતાં જીવનમાં, સુખ સાગર મળી જાય
ના મળે અંધકાર જીવનમાં,કે ના અંધારૂય ક્યાંય દેખાય
આશીર્વાદની ગંગા વહેતાં દેહે,જીવના પાવન કર્મ થાય
.                         …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment