કામથી નામ
. કામથી નામ
તાઃ૨૯/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે નામ જો સારા કરે કામ,જે જન્મ સફળ કરી જાય
શ્રધ્ધા પ્રેમની સાંકળ લેતાં,તમારૂ જીવન મહેંકી જાય
. ………………મળે નામ જો સારા કરે કામ.
જીવનમાં જ્યોત પ્રેમની પ્રગટે,ને શાંન્તિય મળી જાય
લાગણી મોહની માયા છુટતાં,નિર્મળરાહ પણમેળવાય
ઉજ્વળ જીવન દેહને મળતાં,સંસ્કાર પણ દેખાઇ જાય
જલાસાંઇની કૃપામળતાં,જીવને મળેલદેહ ઉજ્વળથાય
. ……………..મળે નામ જો સારા કરે કામ.
સકળ જગતના કરતારની, અમી દ્રષ્ટિ પણ થઇ જાય
નિર્મળ જીવન જીવતાં દેહે,આધી વ્યાધીય ભાગી જાય
જલાસાંઇની ભક્તિ હતી નિરાળી,સંસારમાં રહીને થાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં સાચા સંતની રાહ લેવાય
. ……………..મળે નામ જો સારા કરે કામ.
++++++++++++++++++++++++++++++++++++++