March 22nd 2012

ગજાનંદની કૃપા

 

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       ગજાનંદની કૃપા

તાઃ૨૨/૩/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુભ આશિષ જ્યાં મળે ગજાનંદની
.                                    ત્યાં જ આનંદની વર્ષા થાય
આભ તુટે કે વાદળ પણ ગાજે
.                                  તોય ના આફત કોઇ અથડાય
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
શુભ લાભનો સાથ મળે જીવનમાં
.                                 ને ના કોઇ જીવનમાં ભટકાય
અનંત પ્રેમ મળે જીવનમાં સૌનો
.                            આ જીવનો જન્મસફળ થઈ જાય
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
રિધ્ધી સિધ્ધીના એ સંગાથી જીવે
.                                 અનંત કૃપાનો એતો  છે ભંડાર
ભોલેનાથના છે સંતાન જગતમાં
.                               ને મા પાર્વતીજીના વ્હાલા બાળ
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.

=========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment