ગજાનંદની કૃપા
.
.
.
.
.
.
.
.
.
.
.
. ગજાનંદની કૃપા
તાઃ૨૨/૩/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુભ આશિષ જ્યાં મળે ગજાનંદની
. ત્યાં જ આનંદની વર્ષા થાય
આભ તુટે કે વાદળ પણ ગાજે
. તોય ના આફત કોઇ અથડાય
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
શુભ લાભનો સાથ મળે જીવનમાં
. ને ના કોઇ જીવનમાં ભટકાય
અનંત પ્રેમ મળે જીવનમાં સૌનો
. આ જીવનો જન્મસફળ થઈ જાય
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
રિધ્ધી સિધ્ધીના એ સંગાથી જીવે
. અનંત કૃપાનો એતો છે ભંડાર
ભોલેનાથના છે સંતાન જગતમાં
. ને મા પાર્વતીજીના વ્હાલા બાળ
. …..……………..એવી વ્હાલા ગણનાયકની અનંતકૃપા થઈ જાય.
=========================================