ઉજ્વળ પ્રભાત
. .ઉજ્વળ પ્રભાત
તાઃ૧૬/૬/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ સફળતા મળતી જીવને,જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળ કીરણની કેડીએજ,પાવન કર્મ જીવનમાં થાય
. …………………સરળ સફળતા મળતી જીવને.
ના જીવને માયા વળગે,કે ના કાયાને વળગે કોઇ મોહ
સરળ જીવનની કેડીએ,ના મળી જાય જીવનેકોઇ લોભ
પરમકૃપા જલાસાંઇની,જીવને દેહ છોડતા મળી જાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલે પ્રભુ,ને સુખ શાંન્તિ થઈ જાય
. …………………સરળ સફળતા મળતી જીવને.
પ્રભાતની પહેલી કિરણે,માનવદેહે સુર્યોદય સહેવાય
મળે શાંન્તિ માનવદેહને,એનેજ પ્રભુકૃપા જ કહેવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ માર્ગ પકડાય
ઉજ્વળ જીવનને ઉજ્વળરાહ,સાચી ભક્તિએજ થાય
. ……………….સરળ સફળતા મળતી જીવને.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=