June 26th 2013

ભક્તિનો સાથ

jalabapa's birthday

 

 

 

 

 

 

 

 

 

.               .  ભક્તિનો સાથ

તાઃ૨૬/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને જીવન પણ ઉજ્વળ થાય
પાવન કર્મ જીવનમાં થતાં,સાથ ભક્તિનો મળી જાય
.                         …………………માનવતાની મહેંક પ્રસરે.
જન્મની કેડી જીવન સંગે,જન્મ મળતા ચાલતી જાય
કર્મનામળેલ બંધન જીવને,એઅવનીએ લાવી જાય
સંબંધનો સથવારો વળગી ચાલે,ના કોઇથી છટકાય
આવી અવનીપર જીવતા,જન્મના બંધન મળી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.
મુક્તિ માર્ગને પકડી લેવા,સાચી ભક્તિ મનથી થાય
ભક્તિમાર્ગ છે જ્યોતનિરાળી,જીવ જન્મથી છુટી જાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં જલાસાઈની ભક્તિ થાય
આવી આંગણે મુક્તિ રહે,જે જીવને જન્મથી છોડી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.

*******************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment