October 14th 2013

સ્વર્ગની સીડી

.                  .સ્વર્ગની સીડી

તાઃ૧૪/૧૦/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જ્યાં આશીર્વાદ માબાપના,જીવનમાં કર્મ ઉત્તમ થાય
માનવજીવનમાં સરળતા મળતા,સ્વર્ગની સીડી મળી જાય
.                 …………………મળે જ્યાં આશીર્વાદ માબાપના.
સંસ્કાર સાચવી જીવનમાંચાલતા,પ્રથમ વડીલને વંદન થાય
દીલથી સાચોસ્નેહ મળતા,જીવનેમળતી વ્યાધીઓ ભાગીજાય
પ્રથમસીડી સ્વર્ગનીચઢાય જીવથી,જ્યાં આશીર્વાદ મળીજાય
બીજી મળે છે જીવને જીવનમાં,જ્યાં સંસ્કારને સાચવી ચલાય
ત્રીજી સીડી સાચી શ્રધ્ધાએ મેળવાય,જ્યાં સાચી ભક્તિ થાય
સાચાસંતને નાશોધી શકેકળીયુગમાં,જ્યાં દેખાવી ભક્તિ થાય
ઉજ્વલતાની રાહમળે જીવને,જ્યાં સંતજલાસાંઇની કૃપા થાય
.                 …………………. મળે જ્યાં આશીર્વાદ માબાપના.
કર્મના બંધન જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથીય છટકાય
અવનીપરનુ આગમન જીવનું,એને મળેલ દેહ થકી જ દેખાય
સંસ્કારભક્તિનેવર્તન સાચવતા,જીવને સાચીરાહ મળતી જાય
જન્મમૃત્યુના બંધનજીવના છે,જ્યાં સુધી કર્મના બંધન સંધાય
સ્વર્ગની અદભુત સીડી મેળવવા,સાચાસંતની ભક્તિપ્રેમે થાય
ઘરમાં કરેલ ભક્તિ ઉજ્વળતા દે,જે કર્મપાવન કરાવતી જાય
મુક્તિમાર્ગની કેડી ખુલે,જ્યાં પવિત્ર સ્વર્ગની સીડી મળી જાય
.                  …………………..મળે જ્યાં આશીર્વાદ માબાપના.

=======================================

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment