જય શ્રીરામ
. .જય શ્રીરામ
તાઃ૨૭/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામના સતત સ્મરણથી,જીવને શાંન્તિ મળતી જાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને પાવનકર્મ જીવનમાં થાય
. ………………….રામનામના સતત સ્મરણથી.
મોહમાયા ને લાગણી છુટે,ને સંગે નિર્મળતા મળતી જાય
ભક્તિ માર્ગની સાચી કેડી,જીવને પાવન કર્મ આપી જાય
સંસ્કારસાચવી વંદનકરતાં,પિતા દશરથ પણ રાજી થાય
સીતાજીનો સંગપામીને,ભવસાગરનો માર્ગ બતાવી જાય
. …………………રામનામના સતત સ્મરણથી.
રાવણને આંગળી ચીંધી કર્મની,કળીયુગમાં એભટકી જાય
અભિમાનને એ આદર કરતાં,શ્રીરામથી એનુ દહન થાય
કુદરતની આ રીત નિખાલસ,સાચી ભક્તિરાહે સમજાય
શ્રીરામ શ્રીરામની માળાકરતાં,જીવને શાંન્તિ મળી જાય
. ………………….રામનામના સતત સ્મરણથી.
*************************************