November 5th 2013

ઉમાસુત

ganesha

 

 

 

 

 

 

 

 

.                   .ઉમાસુત

તાઃ૫/૧૧/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉમાસુત ભોળા ગણનાયક છે,જે જીવને કર્મકેડી દઈ જાય
શુધ્ધ ભાવનાએ પુંજન કરતાં,જીવપર કૃપા તેમની થાય
.                   ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.
ૐ ગં ગણપતયે નમઃ ના સ્મરણ માત્રથી,શાંન્તિ મળી જાય
કૃપાનીકેડી જીવને મળતા,આ મળેલ જન્મ સફળ થઈ  જાય
માતાઉમા ને પિતા શીવજીના,લાકડવાયા ગણેશજી કહેવાય
સુખશાંન્તિને સાચીરાહ,જીવને ગજાનંદની કૃપાએ મળી જાય
.                    …………………..ઉમાસુત ભોળા ગણનાયક છે.
અવનીપરનાઆગમનને સ્પર્શે,જેકલમ ગણપતિની કહેવાય
દેહ મળતા  અવનીએ જીવને,ભાગ્ય રેખા ગણેશજીથી સંધાય
કર્મની સાચીકેડી ભક્તિએ મળતા,આધીવ્યાધીઓ ભાગી જાય
અંતે દેહછોડતા જીવનેમળે કેડીસ્વર્ગની,જે મુક્તિમાર્ગ કહેવાય
.                   ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.

====================================