ઉમાસુત
. .ઉમાસુત
તાઃ૫/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉમાસુત ભોળા ગણનાયક છે,જે જીવને કર્મકેડી દઈ જાય
શુધ્ધ ભાવનાએ પુંજન કરતાં,જીવપર કૃપા તેમની થાય
. ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.
ૐ ગં ગણપતયે નમઃ ના સ્મરણ માત્રથી,શાંન્તિ મળી જાય
કૃપાનીકેડી જીવને મળતા,આ મળેલ જન્મ સફળ થઈ જાય
માતાઉમા ને પિતા શીવજીના,લાકડવાયા ગણેશજી કહેવાય
સુખશાંન્તિને સાચીરાહ,જીવને ગજાનંદની કૃપાએ મળી જાય
. …………………..ઉમાસુત ભોળા ગણનાયક છે.
અવનીપરનાઆગમનને સ્પર્શે,જેકલમ ગણપતિની કહેવાય
દેહ મળતા અવનીએ જીવને,ભાગ્ય રેખા ગણેશજીથી સંધાય
કર્મની સાચીકેડી ભક્તિએ મળતા,આધીવ્યાધીઓ ભાગી જાય
અંતે દેહછોડતા જીવનેમળે કેડીસ્વર્ગની,જે મુક્તિમાર્ગ કહેવાય
. ……………………ઉમાસુત ભોળા ગણનાયક છે.
====================================