ભક્તિ પથ
. .ભક્તિ પથ
તાઃ૩/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળે જ્યાં પ્રેમ સાચો,ઉજ્વળતાના વાદળ વરસતા જાય
આવી આંગણે સફળતા મળે,જ્યાં નિર્મળ ભક્તિ પથને મેળવાય
. ……………………જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
પ્રભાતના પહેલા કીરણને વંદી,પ્રેમથી સુર્યદેવની અર્ચના થાય
મળે કૃપા જ્યાં સુર્યદેવની,જીવનમાં પાવનરાહ જ મળતી જાય
કુદરતની અનેરી કૃપા મળે જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થઈ જાય
કર્મનીકેડી નિર્મળ બને જીવની,ભક્તિએ કર્મના બંધનો છુટીજાય
. …………………..જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
મોહમાયા જ્યાં વળગે જીવને,જન્મ મરણનો સંબંધ જીવને થાય
અવનીપરના આગમનથી ભટકતા,નામુક્તિમાર્ગ કદી મેળવાય
ભક્તિસાચી સંત જલાસાંઇનીકરતાં,જીવને સાચીરાહ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા જીવનમાં,નાકદી આધીવ્યાધી અથડાય
. …………………….જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
+++++++++++++++++++++++++++++++++++++