November 21st 2013

નિરાધારની કેડી

.                       નિરાધારની કેડી                                  

તાઃ૨૧/૧૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી શીતળ લાગે,ને જીવનમાં સરળતાય મળી જાય
નિરાધારનો આધાર બનતા,જીવપર જલાસાંઇનીકૃપા થાય
.                     ……………………..કર્મની કેડી શીતળ લાગે.
ભક્તિસંગ રાખીને જીવતા,જીવનમાં ઉજ્વળતા મળી જાય
શાંન્તિનો સહવાસ મળતા,પરમાત્માની કૃપાય આવી જાય
નિરાધારની નાવ છુટતા જીવનમાં,સુખ શાંન્તિ વર્ષી જાય
અવનીપરનુઆગમન સાર્થકબનતા,જન્મ સફળ થઈ જાય
.                       …………………….કર્મની કેડી શીતળ લાગે.
માનવજીવનની મહેંક પ્રસરે,ને નાકોઇ આફતપણ અથડાય
સરળતાનો સાથ મળતા માનવીને, નિર્મળતાય મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,જીવનનાસંબંધ સરળ થઈ જાય
નિરાધારની કેડી છુટતા જગે,માનવતાની મહેંક પ્રસરી જાય
.                       …………………….કર્મની કેડી શીતળ લાગે.

=====================================