નિરાધારની કેડી
. નિરાધારની કેડી
તાઃ૨૧/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મની કેડી શીતળ લાગે,ને જીવનમાં સરળતાય મળી જાય
નિરાધારનો આધાર બનતા,જીવપર જલાસાંઇનીકૃપા થાય
. ……………………..કર્મની કેડી શીતળ લાગે.
ભક્તિસંગ રાખીને જીવતા,જીવનમાં ઉજ્વળતા મળી જાય
શાંન્તિનો સહવાસ મળતા,પરમાત્માની કૃપાય આવી જાય
નિરાધારની નાવ છુટતા જીવનમાં,સુખ શાંન્તિ વર્ષી જાય
અવનીપરનુઆગમન સાર્થકબનતા,જન્મ સફળ થઈ જાય
. …………………….કર્મની કેડી શીતળ લાગે.
માનવજીવનની મહેંક પ્રસરે,ને નાકોઇ આફતપણ અથડાય
સરળતાનો સાથ મળતા માનવીને, નિર્મળતાય મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,જીવનનાસંબંધ સરળ થઈ જાય
નિરાધારની કેડી છુટતા જગે,માનવતાની મહેંક પ્રસરી જાય
. …………………….કર્મની કેડી શીતળ લાગે.
=====================================