November 4th 2013

શ્રધ્ધા ભક્તિ

 

hanukaka

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                     . શ્રધ્ધા ભક્તિ

તાઃ૪/૧૧/૨૦૧૩                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે કૃપા પરમાત્માની જીવને,ને મળેલ જન્મ સફળ થઈ જાય
અવનીપરનુ આગમનસમજતાં,પાવનરાહ જીવને મળી જાય
.                      ………………….મળે કૃપા પરમાત્માની જીવને.
શ્રધ્ધા રાખી ભક્તિ કેડી પકડતાં,જીવ કળીયુગથી છટકી જાય
મળે સાચોપ્રેમ જીવને જગતમાં,પાવનકર્મની રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ અવનીએ,ના કોઇથી એને અંબાય
શ્રધ્ધા સાચી મનથી  રાખતાં,પરમાત્માની કૃપાય મળી જાય
.                    ……………………મળે કૃપા પરમાત્માની જીવને.
ઉજ્વળ જીવન ને પાવનકર્મ,એજ જલાસાંઇની કૃપા કહેવાય
નિર્મળતાનો  સંગ રાખીને જીવતા,દેખાવની દુનીયા દુર જાય
મનથી કરેલ માળા કે ભક્તિ,જીવને સદમાર્ગની રાહે દોરી જાય
આવી પ્રેમ મળે પરમાત્માનો જીવપર,સાતો જન્મ સુધરી જાય
.                   …………………… મળે કૃપા પરમાત્માની જીવને.

++++++++++++++++++++++++++++++++++++++

November 4th 2013

માનવ મન

.                . માનવ મન     

તાઃ૪/૧૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ પ્રેમને પારખી ચાલતા,ઉજ્વળ રાહ મળી જાય
નિરાધારનો આધાર બનતા જ,માનવમન હરખાય
.                 ……………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
શીતળ રાહ જીવનમાં મળતા,સુખ શાંન્તિને સ્પર્શાય
આવતી વ્યાધીઓ દુર રહેતા,નિર્મળતાનો સંગ થાય
પવિત્રજીવન ભક્તિસંગે જીવતા,ઉજ્વળતા સહેવાય
અવનીના આગમનને સમજતા,માનવમન મલકાય
.               …………………પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
નિર્મળ જીવન જગે જીવતા,મળેલ આજન્મ સાર્થક થાય
અભિમાનઆદરની કેડીને મુકતા,સંત જલાસાંઇ હરખાય
આવી આંગણે કૃપા મળતા જીવને,રાહ સાચી મળી જાય
માનવજીવન ઉજ્વળ થતાં,મળેલ જન્મસફળ થઈ જાય
.               ………………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.

==============================