November 4th 2013

શ્રધ્ધા ભક્તિ

 

hanukaka

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                     . શ્રધ્ધા ભક્તિ

તાઃ૪/૧૧/૨૦૧૩                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે કૃપા પરમાત્માની જીવને,ને મળેલ જન્મ સફળ થઈ જાય
અવનીપરનુ આગમનસમજતાં,પાવનરાહ જીવને મળી જાય
.                      ………………….મળે કૃપા પરમાત્માની જીવને.
શ્રધ્ધા રાખી ભક્તિ કેડી પકડતાં,જીવ કળીયુગથી છટકી જાય
મળે સાચોપ્રેમ જીવને જગતમાં,પાવનકર્મની રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ અવનીએ,ના કોઇથી એને અંબાય
શ્રધ્ધા સાચી મનથી  રાખતાં,પરમાત્માની કૃપાય મળી જાય
.                    ……………………મળે કૃપા પરમાત્માની જીવને.
ઉજ્વળ જીવન ને પાવનકર્મ,એજ જલાસાંઇની કૃપા કહેવાય
નિર્મળતાનો  સંગ રાખીને જીવતા,દેખાવની દુનીયા દુર જાય
મનથી કરેલ માળા કે ભક્તિ,જીવને સદમાર્ગની રાહે દોરી જાય
આવી પ્રેમ મળે પરમાત્માનો જીવપર,સાતો જન્મ સુધરી જાય
.                   …………………… મળે કૃપા પરમાત્માની જીવને.

++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment