November 9th 2013

ભક્તિપથ

.                  .ભક્તિપથ

તાઃ૯/૧૧/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન જીવનુ,કર્મના બંધનથી મેળવાય
માનવદેહ મળે અવનીએ,જ્યાં કુદરતની કૃપા મળી જાય
.               …………………..અવનીપરનુ આગમન જીવનુ.
કર્મનીકેડી સરળ બને જીવની,નેસાચો ભક્તિપથ મળીજાય
નિર્મળ ભક્તિને પ્રેમથી કરતાં,સાચા સંતની કૃપા થઈ જાય
અગમ નિગમના ભેદ સમજતા,પામર જીવન પાવન થાય
આવી આંગણે જલાસાંઇ રહે,જ્યાં સાચી ભક્તિ ઘરમાં થાય
.               ……………………અવનીપરનુ આગમન જીવનુ.
મોહમાયાની માગણી છોડતા,ના વ્યાધી જીવનમાં અથડાય
સરળતાની શીતળ કેડીએજ,જગતમાં માનવતા મહેંકી જાય
ઉજ્વળકેડીનો સંગમળતા,જીવને સાચી ભક્તિરાહ મળી જાય
જન્મમરણના બંધન છુટતા,જીવનેઅંતેમુક્તિમાર્ગ મળી જાય
.               ……………………અવનીપરનુ આગમન જીવનુ.

====================================