જલારામ જયંતી
. .જલારામ જયંતી
તાઃ૯/૧૧/૨૦૧૩ (કારતક સુદ-૭) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોત જલાવી પ્રેમની,અને ભક્તિનો રાખ્યો સંગ
માનવતાની મહેંક પ્રસરાવી,દીધો ભક્તિનો રંગ
…………એવી જલારામની ભક્તિ,જગે આપ્યો પ્રેમનો સંગ
નિર્મળતાનો સંગ રાખીને ઘેર,ખોલ્યુ અન્નનુ ઉપવન
વીરબાઇમાતાનો સાથ મેળવીને,ભોજન દીધુ અનંત
પરમાત્માનો પ્રેમ મેળવી,ઉજ્વળ કર્યુ માનવ જીવન
ઝોળી ડંડો મુકીને ભાગ્યા પ્રભુ,જ્યાં ભક્તિ રંગે છે મન
………..એવી જલારામની ભક્તિ,જગે આપ્યો પ્રેમનો સંગ.
અવનીપરનુ આગમન,જલારામના નામે કર્યુ પાવન
સંસ્કાર સાચવી વીરબાઇ માતાએ,ઉજ્વળ કર્યુ જીવન
પતિપ્રેમને નિર્મળ પાવન કરી,સેવાનો રાખ્યો છે સંગ
સંતનીસેવા કરવાચાલ્યા,રાખીપતિનીઆજ્ઞામાં ઉમંગ
………..એવી જલારામની ભક્તિ,જગે આપ્યો પ્રેમનો સંગ.
*******************************************
. .સંત પુજ્ય જલારામ બાપાના જન્મદીને તેમના ચરણમાં સપ્રેમ અર્પણ.
પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હિમાના વંદન.કારતક સુદ સાતમ ૨૦૭૦
. .હ્યુસ્ટનમાં આ દીવસે હીલક્રોપ્ટ પર આવેલા જલારામબાપાના મંદીરમાં
પુજ્ય લક્ષ્મીબા ઠક્કર તરફથી બાપાના જન્મદીનની ઉજવણી રાખેલ છે.બધા
ભક્તોને તેમણે પ્રેમથી આવકાર્યા છે.