આલોક પરલોક
. આલોક પરલોક
તાઃ૧૮/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આલોકને ના પારખે માનવી,ના અવનીએ કાંઇ સમજાય
 પરલોકને પામવા માનવી જગે, ભગવુ પહેરીને ભટકાય
 .             ………………….આલોકને ના પારખે માનવી.
 કુદરતની આ અસીમ લીલા,જીવનુ આવનજાવન થાય
 દેહ લઈને જીવ ભટકે અવનીએ,કળીયુગી કાયા કહેવાય
 સકળજગતના કર્તા પરમાત્મા,લાગણીમોહથી છુટીજાય
 અવનીપરના આગમન છે એવા,જીવ કર્મબંધને બંધાય
 .              ………………….આલોકને ના પારખે માનવી.
 પરલોકમાં રહેતા જીવને,અખંડ અસીમ કૃપા મળી જાય
 શ્રધ્ધારાખી કરેલ ભક્તિએ,જીવ જન્મમરણથી છુટીજાય
 સ્વર્ગની શીતળ કેડી મળતા,ના મોહમાયા કદી ભટકાય
 આલોક પરલોકના બંધનછુટતા,સ્વર્ગીય સુખ મળીજાય
 .              ………………….આલોકને ના પારખે માનવી.
 ==============================