June 12th 2015

તમે એવા ને એવા રહ્યા

જય જલારામ                  તમે એવા ને એવા રહ્યા

    તાઃ૧૨/૬/૨૦૧૫                                            …પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના ના મનુભાઈ વાત એમ છે કે આજથી પચાસ વર્ષ પહેલા આપણે જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે મને યાદ છે કે તમે મને ભણતર તરફ દોર્યો હતો જેથી આજે હું તન અને મનથી શાંન્તિ મેળવી આનંદ માણી રહ્યો છુ.તમે પણ સાચી રાહ લીધી હતી.તમારા પિતા ઘોડાગાડી ચલાવતા હતા તે રાહથી તમે ભણીને વકીલ થયા જેથી તમારા પિતાજીને ખુબ શાંન્તિ મળી .જીવનમાં સાચી રાહ એ પરમાત્માની કૃપા અને સારા મિત્રોનો પ્રેમ જ આગળ લઈ જાય છે.મારૂ તારૂની માગણીમાં એ સમાતુજ નથી. તમારા પત્નિ ગંગાબેને પણ જીવનમાં મહેનત કરી હતી એના ફળ રૂપે તમે જુઓ કે તમારા સંતાનો પણ મહેનત કરી પવિત્રરાહ જીવી રહ્યા છે. તમારો મોટો દીકરો ભાવેશ આજે અમેરીકામાં પણ સારી નોકરી કરી રહ્યો છે.તમારો આલોક તો અત્યારે પણ સવારે મને જુએ કે તરત જ  જય જલારામ જય સાંઈરામ બોલી હાથ જોડી નમન કરી જાય છે.આ બધુ જોઇ મને ઘણો આનંદ થાય છે.

આ સાંભળી મનુભાઈ હરીહરભાઈને કહે છે કે સાચી શ્રધ્ધાએ ભક્તિ કરીએ તો કૃપા થાય પણ કર્મના બંધન અને સમયની જ્યોત એતો સમજી વિચારી જીવીએ તોજ પકડી રખાય નહીં તો જગતમાં કોઈનેય ખબર નથી કે પોતાનુ કુળ કેવી રીતે આગળ વધી રહ્યું છે.તમે જુઓ કે તમારો દીકરો અલખ પરણ્યા પછી પણ તમારી સાથે રહે છે અને તેની વહુ જ્યોતિ પણ તમારી સેવા કરે છે. મારા દીકરાના નશીબમાં નહીં હોય તેથી તેને અમેરીકા જતા રહેવુ પડ્યુ અને પોતાની જીંદગી જીવી રહ્યો છે.આતો કર્મના સંબંધ છે. જુઓને તમારો બીજો દીકરો રાઘવ પણ પરણી ગયો અને તેની વહુ પ્રીતિને પણ સરકારી નોકરી મળતા વડોદરામાં રહેવા ચાલી ગયા આતો સમયની વાત છે. મારા જીવનમાં મેં કદી કોઇને દુઃખ નથી આપ્યું કે નથી કદી કોઇને ઉંધા માર્ગે જવાનુ બતાવ્યુ. કારણ મારા કરેલા કર્મજ મને સાથ આપશે તેનો મને ખ્યાલ છે.આપણે સાથે બેઠા છીએ કારણ આપણે ગયા જન્મનું બંધન છે જે વાતચીત કરાવી શાંન્તિ આપે છે. ચાલો તો આજની વાતને અહીં અટકાવીએ.કારણ હું મારા દીકરાને ત્યાં વડોદરા રહુ છુ. પણ આજે આપણા નસીબમાં હશે તો હું મારા ફોઇના નાના દીકરાને ત્યાં તેની બેબીનો ચાંલ્લાનો પ્રસંગ હતો એટલે આવ્યો હતો તો વળી મને જુની યાદ આવતા અહીં આવ્યો ને આપણે મળ્યા.આ મને લેવા આવે છે એ મારા ફોઇનો દીકરો રાજુ છે.રાજુ આ મારા જુના મિત્ર છે આજે તારે ત્યાં આવ્યો તો મને વર્ષો પછી મળ્યા.નમસ્તે કાકા એમ રાજુ બોલ્યો. હરિહરભાઈ કહે મનુભાઈ હું અહીંયાં ત્રણ દીવસ રહેવાનો છુ.તો કાલે આપણે સાંજે અહીં મળીશુ.ચાલો હુ જાઉ છુ.જય જલારામ. મનુભાઈ આમ તો સાંજે પાંચ વાગે આ બાગમાંથી ઘેર જવા નીકળે.પણ આજે તેમના જુના મિત્ર હરિહરભાઈ સાડા ચાર વાગે જતા રહ્યા ત્યારે તે એકલા પડી ગયા પણ તે વખતે તેમને ઘણા સમય બાદ મળેલ જુના મિત્રની ભુતકાળ યાદ આવતા વિચારવા લાગ્યા કે આ પરમાત્માની અજબ લીલા છે મને તો ખ્યાલ પણ ન હતો કે આજે હરિહરભાઈ આવીને મળશે. કર્મની લીલા તો કુદરતની કૃપાએજ મળી જાય.અને વિચારવા લાગ્યા કે સંતાનને સાચીરાહ એ માબાપના આશિર્વાદથી જ મળે.જ્યારે કળીયુગની કેડી મળે ત્યાં નાકોઇ વડીલની કે માબાપની કૃપા મળે. એ સંતાનના વર્તનથી દુર રહેવા માબાપ ભગવાનને પ્રાર્થના કરે.આમ વિચારના વાદળમાં સાંજના સાડા છ થઈ ગયા.ત્યાં સફાઈ કરનાર આવ્યા ત્યારે ત્યાંથી ઉઠી ઘેર જવા નીકળ્યા.મનના વિચારોમાં સમયનો ખ્યાલ પણ ના રહ્યો.ઘેર પહોચ્યા ત્યારે તેમના પત્નિ ગંગાબેન કહેવા લાગ્યા કે આજે તમે મોડા કેમ આવ્યા? તમે કોઇ કામમાં રોકાયા હતા કે કોઇને મળવા ગયા હતા.ત્યારે તેમણે કહ્યુ કે આજે મારા બહુ જુના મિત્ર આવ્યા હતા મને મળ્યા એટલે જુની યાદો આવી એટલે મોડુ થયુ. અમે સાથે ભણતા હતા ત્યારે જે રીતે મને પ્રેમ કરતા હતા તેજ નિખાલસ પ્રેમ અત્યારે પણ તેમની વાતો પરથી મને લાગ્યુ કે હરિહરભાઈ પહેલા નાના હતા તે વખતે જેવા હતા એવાને એવા આજે પણ રહ્યા છે. તું વિચારકર કે ભગવાનની કેટલી અસીમકૃપા છેકે તેમના સંતાનો પણ તેમને અનુસરે છે.એજ સાચી શ્રધ્ધા અને ભક્તિ છે જેનુ ફળ તેઓને પરમાત્મા આપે છે. અત્યારે મારા મગજમાં થોડી ચિંતા છે એટલે હું સુવા જાઉ છું.કાલે કદાચ મારા મિત્ર અહીં મળવા આવશે.ત્યારે થોડી વાતચીત કરી મગજ થોડુ હળવુ કરીશ જય જલારામ.

બીજા દિવસે સવારમાં મનુભાઈ સાત વાગે પણ ઉંઘતા હતા તેથી તેમના પત્નિ તેમને ઉઠાડવા ગયા તેમને ઉંઘતા જોઇ કહે,આજે તમે કેમ હજુ ઉઠ્યા નથી? સાત તો વાગી ગયા તમે તો સવારે છ વાગે ઉઠી જાવ છો. અચાનક અવાજ સાંભળ્યો એટલે જાગી ગયા અને બોલ્યા મને રાત્રે બરાબર ઉંઘ નથી આવી વિચારોના વમળમાં રાત પસાર થઈ. જીવનમાં જ્યારે અટકળોનો ભાર હોય ત્યારે કેવી રીતે બચવુ મને કાંઇ સમજ પડતી નથી. અત્યારે કશોય વિચાર કર્યા વગર નાહી ધોઈ સેવા પુંજા કરો નહીં તો મોડુ થશે.

સમય તો કોઇથી રોકાતો નથી.પણ કદાચ સમયને સમજીને જો ચાલો તો જીવનમાં રાહત  રહે અને ભુતકાળને યાદ ન કરતા ભુલી જવાથી શાંન્તિ મળે.મનુભાઈની પણ એજ હાલત થઈ છે. સંતાનોને જીવનમાં શાંન્તિ મળે અને પરમાત્માની કૃપા થાય તે ભાવના રાખી સંત જલાબાપા અને સંત સાંઈબાબાની ભક્તિ ઘરમાં પણ શ્રધ્ધાથી કરી રહ્યા છે. જીવનમાં શાંન્તિના વાદળ હાલ ફરી રહ્યા છે તેમ લાગે છે અત્યારે અમુક પ્રસંગો જે ભુલવાની ઈચ્છા રાખે છે તે બહુ ઓછા યાદ આવે છે.પણ જ્યારે હરિહરભાઈને મળ્યા ત્યાર બાદ તેમને થોડો ભુતકાળ યાદ આવ્યો.

મનુભાઈ અને ગંગાબેનને આજથી થોડા વર્ષ પહેલા તેમના દીકરા ભાવેશને ત્યાં અમેરીકા જવાનું થયુ.ભાવેશનો દીકરો નિરજ ભણવામાં ઘણા માર્ક્સ સાથે કૉલેજમાં બીજા વર્ષે પ્રથમ આવ્યો તેથી તેને કૉલેજ તરફથી બેસ્ટ સ્ટુડન્ટ તરીકે સન્માન જાહેરમાં આપવાનુ હતું.તો ભાવેશે માતાપિતાને પ્રસંગમાં પધારવા ટિકીટ મોકલી એટલે ત્યાં ગયા.પહેલી વખત ભાવેશને ત્યાં જવાનુ થયુ એટલે જે સગવડ હતી તે પ્રમાણે વસ્તુઓ લઈને ગયા હતા.ભાવેશ અને તેની પત્નિ લીલાએ જ્યારે એ બધુ જોયુ ત્યારે કહે તમારે આ કાંઈ લાવવાની કોઈજ જરૂર ન હતી,અહીં કોઇ તેનુ ધ્યાન આપતુ નથી.આ સાંભળતા મનુભાઈ અને ગંગાબેન વિચારવા લાગ્યા કે આ છોકરાની વહુ આવુ કેમ બોલે છે.આમ વિચારી રૂમમાં બેઠા હતા.મનુભાઈને તરસ લાગી તો તેમની પત્નિને કહે રસોડામાં જઈને જરા પાણી લઈ આવને. ગંગાબેન પાણી લેવા રસોડામાં ગયા તો ભાવેશ અને તેની વહુ રસોડામાં ખાવા બેઠા હતા.ગંગાબેનને કંઈક સુગંધ આવી એટલે ટેબલ નજીક ગયા.તો તેમનો દીકરો અને વહુ  ચીકન અને શરાબ પીતા ખાતા હતા.ગંગાબેને રૂમમાં જઈ બારણુ બંધ કરી મોં પર આંગળી મુકીને પતિને કહે તમે રસોડામાં નાજશો કારણ આપણો છોકરો ને વહુ રસોડામાં દારૂ અને માંસ ખાય છે.હવે આપણાથી અહીં ફરી ના અવાય. અને આમ મગજના ભારથી બંન્ને સુઈ ગયા.

બીજે દીવસે સવારે તેઓ ઉઠ્યા ન હતા એટલે ભાવેશે બારણુ ખખડાવી કહ્યુ પપ્પા હું અને  લીલા નોકરી પર જઈએ છીએ.સાંજે આવીશું.એમ કહી બંન્ને પોતપોતાની ગાડી લઈને નીકળી ગયા. મનુભાઈ અને ગંગા બહેન જાગીને પોતાનુ કામ કરી રૂમમાં બેસી અને ભગવાનની ચોપડી વાંચતા હતા.નોકરીએથી ભાવેશ પહેલો આવી ગયો.લીલા સાંજે મોડી આવે.

એક દીવસ ભાવેશને મનુભાઈ કહે બેટા તું ક્યાં નોકરી કરે છે? ભાવેશ કહે મારા મિત્રની બીયરની દુકાન છે તેમાં હું રજીસ્ટર પર કામ કરુ છું.ગંગાબેન કહે અને તારી વહુ ક્યાં નોકરી કરે છે?મમ્મી એ મોટા ગ્રોસરી સ્ટોરમાં કીચનમાં કામ કરે છે.આ સાંભળી મનુભાઈ અને ગંગાબેન સ્તબ્ધ થઈ ગયા.બંન્ને ચુપ થઈ ગયા. સમય થતા બંન્ને પોતાની સુવાની રૂમમાં આવી ગયા. બીજે દીવસે શનિવારે સવારમાં સાથે બેસી નાસ્તો કરતા હતા તે વખતે ગંગાબા પૌત્ર નિરજને કહે બેટા દાદાને એક વખત તારા પપ્પાની નોકરીની જગ્યા તો બતાવ અને પછી એક દીવસ તારી મમ્મીની નોકરી પણ બતાવજે. આમ કહી પછી રૂમમાં જઈને બેઠા તો થોડી વાર પછી તેમની રૂમમાં જઈ નિરજ કહે બા આ શનીવારે હું તમને લઈ જઈશ.તમે પપ્પા મમ્મીને ને કહેશો નહીં.

આમ સમય પસાર કરતા કરતા બીજો શનિવાર આવી ગયો બપોરે બે વાગે નિરજ તેમની રૂમમાં  આવી કહે,દાદા બા તમે તૈયાર થઈ જાવ હું તમને પપ્પાની દુકાને લઈ જાઉ.બંન્ને તૈયાર થઈ ગયા નિરજ તેમને ગાડીમાં લઈ દુકાને પહોંચ્યો દુકાનનું નામ ‘ગોલ્ડન બીયર’ હતુ.બહારથી જોઇનેજ માબાપ સ્તબ્ધ થઈ ગયા અંદર પેસતા બધા ટેબલો પર કસ્ટમરો  દારૂ પિતા હતા અને માંસ ખાતા હતા. દાદા નિરજને કહે બેટા ચાલ આપણે તારા મમ્મીને મળવા જઈએ. ત્યાંથી બા દાદાને લઈ નિરજ મોટા ગ્રોસરી સ્ટોરમાં આવ્યો.સ્ટોરમાં છેક અંદર આવ્યા ત્યાં લીલા મોઢુ બાંધી ગ્રાહકને માંસ કાપીને આપતી હતી.મનુભાઈ કે ગંગાબેનને ઓળખણ ના પડી ત્યારે નીરજે આંગળી ચીંધી મમ્મી પેલી રહી.ત્યાંજ બંન્નેને આશ્ચર્ય થયુ આ કઈ જાતની જીંદગી ભાવેશ અને લીલા જીવી રહ્યા છે.ઘણા દુઃખ સાથે તેઓ નિરજ સાથે ઘેર આવ્યા. બીજે દીવસે ભાવેશને રજા હતી.તેથી તે થોડો મોડો ઉઠી ચા નાસ્તો કરવા બેઠો હતો તે વખતે મનુભાઈ અને ગંગાબેન ત્યાં આવીને બેઠા.મનુભાઈ કહે બેટા તુ તો ભારતમાં એન્જીનીયરનુ ભણેલ અને નોકરી પણ કરતો હતો. તો અહીં આવી નોકરી ક્યાંથી કરે છે. ત્યારે ભાવેશ કહે પપ્પા આપણા ભણતરની અહીં કોઇ જ કીંમત નથી.અહીં તમને કોઇ પણ સારી નોકરી નામળે કારણ આ દેશમાં લોકોને ખબર છેકે એક ભારતીય છ અમેરીકનનુ કામ કરી શકે છે. ઇમાનદારીથી મહેનત કરે તેથી સફળતા મળે જ.એટલે અહીં નોકરની નોકરી કરવી પડે.

સમય તો જતો રહ્યો આજે અમેરીકાથી પાછા આવ્યાને પાંચ વર્ષ થયા પણ મન યાદ તો કરે કારણ પોતાના સંતાનનુ વર્તન અને જીવન તેમને દુ”ખ આપી રહ્યુ છે .આ બધુ અત્યારે તો યાદગીરી જ છે જે યાદ કરતા ખુબ દુ”ખ થાય પણ છતાં જ્યારે યાદ આવે ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની કે મોહમાયાથી મુક્તિ આપી આપણને મળેલ સંસ્કાર સાચવી માબાપે આપેલ ભક્તિને પકડી આપણે એવાને એવા રહી જીવન જીવીએ એજ પ્રાર્થના.

==========================================================

June 8th 2015

મનની માગણી

.               . મનથી માગણી

તાઃ૮/૬/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી માગણી માનવીની ,જીવનમાં અનેક રીતે ઓળખાય
પામર પ્રેમને પારખી જીવતા,સાચી શ્રધ્ધાએ જ મળી  જાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. જીવને મળતી જ્યોત જીવનમાં,અનેક માર્ગ બતાવી જાય સમજી વિચારી કેડી પકડતા,પ્રભુની અસીમકૃપા થઈ જાય મનથી કરેલ માગણી જીવને,શ્રધ્ધાએ જીવનમાં મળીજાય
ના અડે જ્યાં મોહમાયા જીવને,ત્યાં જલાસાંઈની કૃપા થાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. મળેલ અવનીએ માયા જીવને,કર્મનાબંધનથી જકડી જાય
નિર્મળ ભાવનાએ જીવતા,નામાગણી કોઇ જીવને રહી જાય
અનંતપ્રેમ મળે અનેક જીવનો,ના કદી કોઇ કલ્પના રખાય
ના માગણી કોઇ મનથી રહે,કે ના કોઇ અપેક્ષાય થઈ જાય
………કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. ===========================================

June 7th 2015

અદભુત લાગણી

.                  .અદભુત લાગણી

તાઃ૭/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક ઉડે,ને અંતરમાં અનંત આનંદ થાય
પ્રેમનીપાવનરાહ મળેજીવનમાં,જીવને સદમાર્ગે દોરીજાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. પરમાત્માની એ શીતળકેડી,જીવને નિર્મળરાહ આપી જાય કર્મબંધન એ માનવતા સંગે,અનેક માર્ગે જીવને દોરી જાય
સમજી વિચારીને કર્મ કરતા,માનવ જીવન સરળ થઈ જાય જીવને સાચોપ્રેમ મળે જીવનમાં,જીવને પવિત્રરાહ દઈ જાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. જીવે કરેલ કર્મ યુગોમાં જકડે,ના કોઇ જીવથી દેહને છોડાય અવનીપરનુ આવન જાવન,દેહના કર્મ બંધનથી જકડાય
સાચો પ્રેમ નિખાલસતાનો,જીવને અનંત શાંન્તિ દઈ જાય અદભુત લાગણી આવીમળતા,ના મોહમાયા કોઇ અથડાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. =============================================

June 7th 2015

જ્યોત નિર્મળ

virbai-mata2

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.             .જ્યોત નિર્મળ

તાઃ૭/૬/૨૦૧૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અસીમ કૃપા છે પરમાત્માની,જે જલાબાપાથી દેખાય
અનેક જીવોને પ્રેમથી ખવડાવીને,પ્રભુકૃપા લઈ જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
નિર્મળભાવે ભક્તિ કરતાં,ને મનથી કર્મ એ કરી જાય
ના માગણી ના મોહ તેમને,તેમના કર્મથી એ દેખાય
વિરબાઇ માતાની પવિત્ર રાહે,પરમાત્મા ભાગી જાય
લાકડી ઝોળી એ કૃપા પ્રભુની,જે પરીક્ષાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
રામનામની માળા કરતા,ને કર્મની કેડી પકડીએ જાય
મળેલરાહ માબાપથી જીવનમાં,કુળ ઉજ્વળ કરી જાય
સંસ્કાર મળેલા સાચવી વિરબાઇ,પતિના પગલે જાય
એજ સાચી નિર્મળ જ્યોત,જે જીવને કૃપાએ મળી જાય
….એ વિરબાઈ માતાની સંસ્કારી કેડીથી જલાબાપાને મળી જાય.
=====================================

June 2nd 2015

ગુજરાતનો દીન

 

.

.

.

.

.

.

.

.

.

.

.

.                      .ગુજરાતનો દીન

તાઃ૧/૫/૨૦૧૫                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ પકડી ચાલતા,ગુજરાતીઓ જગે ઓળખાય
ભારતની એ શાન બન્યા છે,જે થકી આઝાદી મળી જાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.
ઉજ્વળકેડી જીવનમાં પકડીને,દુનીયામાં એ વસી જાય
ભણતરની રાહ પકડી ચાલતા,જીવન ઉજ્વળ મળીજાય
સંસ્કાર સાચવી ડગલુ ભરે  છે,જે અભિનંદન આપી જાય
સફળતાની સાચીરાહમળે,એ જગતમાં ગુજરાતીકહેવાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.
બાપુ ગાં ધી અને સરદાર વલ્લભભાઈ,ભારતની છે શાન
ગુજરાતીઓનુ એ ગૌરવ કહેવાય,જે જન્મ સફળ કરીજાય
માગણી મોહને દુર રાખીને જીવે,એ જ છે સાચી માનવતા
ગુજરાતી એતો ગૌરવ છેભારતનું,જે આઝાદી આપી જાય
……..એવી અનંત શ્રધ્ધાએ જીવતા,જગે ગુજરાત દીન ઉજવાય.

**************************************************
.     .ગુજરાતનો સ્થાપનાદીન મે એક ભારતનુ ગૌરવ કહેવાય કારણ ભારતને
આઝાદીની નિર્મળરાહ ગુજરાતીઓએ આપી છે.જે ભારતની બન્યા છે શાન.
મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ જે આઝાદી મેળવવામાં પ્રજાને રાહ આપી
ગયા છે જે સૌ ગુજરાતીઓને આનંદ આપે છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

June 1st 2015

મળી ગયો

.                   . મળી ગયો

તાઃ૧/૬/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો મને પ્રેમ કલમપ્રેમીઓનો,સાચી રાહે દોરી જાય
નિર્મળરાહને પકડી ચાલતા,માતાસરસ્વતી કૃપા દઈ જાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.
ના અભિમાન અડે કે દેખાવનડે,જ્યાં સાચોપ્રેમ મળી જાય
આવી આંગણે ઉભા રહે,જે પગલાંએ ઘર પવિત્ર થઈ જાય
કલમની સાચી કેડી મેળવતા,કૃતિએ આનંદ વહેંચાઈ જાય
અસીમકૃપા માતાની મળતા,કલમની રાહે પ્રેમ મળી જાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.
શ્રધ્ધા અને વિશ્વાસ સાચો,જે સાચી કલમકેડીએ દોરી જાય
માયા મોહ તેને અડે જીવનમાં,જે અભિમાનને પકડી જાય
ના કલમની એકય કેડી મળે,કે નાકોઇ પ્રસંગનેય સચવાય
મારુતારુની રાહ પકડીચાલતા,દેખાવની દુનીયા મળીજાય
………….એવા નિખાલસ કલમપ્રેમીઓ,કલમનાપ્રેમને આપી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++

June 1st 2015

જીવની સમજણ

.               . જીવની સમજણ  

તાઃ૧/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જ્યાં પ્રેમ માબાપનો,સંતાન નિર્મળરાહે ચાલી જાય
સંત જલાસાંઇની કૃપાએ,જીવને સાચી સમજ મળી જાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
કળીયુગ સતયુગ એ કુદરતની લીલા,દેહ મળતા દેખાય
પાવનરાહ જીવનેમળે,જ્યાં સુર્યદેવને પ્રેમેઅર્ચના થાય
અજબ શક્તિશાળી છે એ દેવ,જેમના દર્શન જીવને થાય
શ્રધ્ધા અને સમજ એજ કેડી,જે જીવને મુક્તિએ દોરીજાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
મળે દેહ અવની પર  જીવને,જેને કર્મના બંધન કહેવાય
અવની પરના આગમન પછી,કર્મની કેડી વર્તને દેખાય
ઉજ્વળજીવનની રાહમળે,જ્યાં નિખાલસ જીવન જીવાય
દેહનોઅંત જે મૃત્યુ કહેવાય,કૃપાએ જન્મબંધનથી છુટાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.

======================================

« Previous Page