February 12th 2016

સમજણ સાચી

.               .સમજણ સાચી

તાઃ૧૨/૨/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જકડે કળીયુગની કેડી,ના જગતમાં કોઇથી છટકાય
માનવજીવનની નિર્મળરાહ,સાચી સમજણથી જ સમજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
અવનીપરનું આગમન જીવોનુ,કર્મ બંધનથી જકડાઇ જાય
માનવદેહએ લાયકાત જીવની,જે સાચીભક્તિએ મળી જાય
જલાસાંઇની શ્રધ્ધા ભક્તિએ,નિર્મળ ભક્તિ રાહ પામી  જાય
નાઅપેક્ષા નાકોઇ માગણીએ,જન્મમરણના બંધનછુટીજાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.
મોહ જીવને જકડે કળીયુગમાં,જે  જીવને અનુભવે સમજાય
પળેપળને સમજી ચાલવા,જીવનમાં સમજીને પગલુ ભરાય
વ્યાધી ઉપાધી એ સમયની કેડી,જે નિર્મળદેહને સ્પર્શી જાય
અનંત કૃપાળુ છે પરમાત્મા,જે જીવના કર્મથી સમજાઈ જાય
………….મનને શાંન્તિ મળે જીવનમાં,જ્યાં પ્રભુની કૃપા મેળવાય.

=======================================