પરમાત્માની કૃપા
. પરમાત્માની કૃપા
તાઃ૩૧/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધર્મકર્મને સાચવી ચાલતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
પ્રેમપારખી જીવનજીવતા,જીવનમાં સુખશાંન્તિની વર્ષા થાય
……….એજ કૃપા અવિનાશીની,જીવને અનંત શાંન્તિ આપી જાય.
પ્રેમભાવના પારખી ચાલતા,જીવને સમજણ આવી ગઈ
કર્મબંધન એ આજની કેડી,જે ભુતકાળ સંગે રહેતી થઈ
કરેલકર્મ એસમયથી સ્પર્શે,જે નિર્મળભક્તિએ મળે અહીં
જલાસાંઇની પવિત્ર રાહે,મળેલ જન્મ પાવન થશે ભઈ
……..માન અને સન્માનના સ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
જન્મમળે છે જીવને અવનીએ,જ્યાં કર્મનીકેડી સંગે થઈ
ના જગતમાં તાકાતછે જીવની,ના છટકાય કોઇથી અહીં
સંબંધના બંધન સ્પર્શે છે જીવને,આવનજાવન કરે અહીં
અજબશક્તિશાળી છે પરમાત્મા,પાવનરાહે સમજાય ભઈ
……..માન અને સન્માનના સ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
=============================================